SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તૃષા લાગે છે. પણ પાણી પેટમાં ટકતું નથી. ધનને વિચાર આવ્યું કે સમુદ્રમાં પડતું મૂકી આત્મહત્યા કરૂં? પણ બિચારી ધનશ્રીનું શું! એમ વિચારી નંદકને કહે છે કે, હું મારી મિલકતને તેને વ્યવસ્થાપક નમું . વળી આ પતિ-વત્સલા મારી પત્નીને મારા કુટુંબીઓ ભેગી કરી દેજે. અને ધનશ્રીને કહ્યું કે, તું પણ પાપ છોડીને શીલ પાળી અને નંદકને તારા હિતેચ્છુ તરીકે ગણજે. આ સાંભળી દુઃખથી નંદક રડવા લાગે. અને ધનશ્રી કપટથી રડવા લાગી. ધનકુમારે આત્મહત્યાને વિચાર મેકૂફ રાખે. ધનશ્રીએ ધનને સમુદ્રમાં ફેંક ધનશ્રીએ વિચાર્યું કે હજુ આ મર્યો કેમ નહિ! સ્વદેશમાં પહોંચ્યા પછી એને મારવાને ઉપાય દુર્લભ થશે. માટે આને મારી નાખવાને ગ્ય સમય પાકી ગયેલ છે. સવારે પગ જોવા માટે વહાણના કિનારે ઊભું રહેશે, ત્યારે ધક્કો મારી સમુદ્રમાં ફેકી દઈશ, અને નંદક પણ કાયમી મારે થશે. એમ વિચારી ધનશ્રીએ પગ ધોવા માટે જાગેલા પિતાના પતિને સમુદ્રમાં ફેંક્યું. કેટલાક સમય ચૂપકીથી ઊભી રહી. અને વહાણ આગળ વધ્યું ત્યાર પછી હાહાર શરૂ કર્યો. છાતી ફૂટવા લાગી. અને વધારે રડવા લાગી. નંદક પણ સમુદ્રમાં પડવા માટે તૈયાર થ. પણ પરિવારે પકડી રાખ્યું. વહાણ અટકાવી બનતી તપાસ કરી. સવારે વહાણ આગળ ચાલ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy