SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ નંદક અને ધનશ્રી સાથે મંત્રણા કરી આગળ સમુદ્ર-પાર જવાનો નિર્ણય કર્યો. શરણાગત જુગારી મહેશ્વરદત્ત ઉપર ઉપકાર એકદા જુગારીઓના ટેળામાંથી ભાગીને એક મહેશ્વરદત્ત નામને જુગારી ધન કુમારને શરણે આવ્યું. આંસુ ભરેલી આંખવાળે ગદ્ગદ્ સ્વરે તે કહેવા લાગ્યું કે, “હે આર્ય ! આ જુગારીઓથી મારું રક્ષણ કરો.” ધનકુમારને દયા આવી. નંદકને ઓર્ડર કર્યો કે એને જેટલું દેવું હોય તેટલું આપી દે. જુગારીઓએ સેળ સેનામહોરે માગી અને ધનકુમારે અપાવી દીધી. પછી સ્નાન કરાવી વસ્ય પહેરાવી જમાડીને હિત-શિક્ષા આપી. મહેશ્વરદત્તની ભાવનાને પલટ થયા. તેણે પિતાના મિત્ર ગેશ્વર નામના કાપાલિક પાસે કાપાલિક વ્રત લીધું. ધનકુમારે નંદક અને ધનશ્રી સાથે પ્રયાણ શરૂ કર્યું. એકદા ધનશ્રીએ નંદકને કહ્યું કે આ ધનને મારી નાખી આપણે ક્યાંક ચાલ્યા જઈ એ. નંદકે કહ્યું, એ મારા ઉપકારી છે, તેથી આ વાત એગ્ય નથી. આપણું સ્વામી ગુણવાન હોવાથી તારે આ દુષ્ટ વિચાર સ્વપ્નમાં પણ નહીં કરે. ધનશ્રીએ વિચાર્યું કે, મારા કાર્યમાં નંદક સહાયક નહીં થાય, માટે મારે જાતે જ આ કાર્ય કરવાનું છે. ધનશ્રીએ પરિવ્રાજિકા સાધીને કાળાન્તરે જીવ લેનાર કાર્મણ યોગને પ્રયોગ કર્યો. કામણ- ગથી ધન મહા વ્યાધિમાં પટકાયે. પિટમેટું થઈ ગયું. વદન સૂજી ગયું. હાથ પગમાંથી રસી નીકળવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy