________________
४
કાલલોક-સર્ગ ૩૨ दधानो वरदं शक्ति-मपसव्यकरद्वये । गदां च नागपाशं च वामहस्तद्वयेऽदधत् ॥ ४१९ ॥ देवी भवेन्महाकाली स्वर्णवर्णांबुजासना । चतुर्भुजा सवरद-पाशयाम्यकरद्वया ॥ ४२० ॥ मातुलिंगांकुशोपेत-वामहस्तद्वयानिशं । सुमतिप्रभुभक्ताचां पूरयंती मनोरथान् ॥ ४२१ ॥ इति श्रीसुमतिः । प्रागभूद्धातकीखंडे विजये वत्सनामनि । सुसीमायां महापुर्यां नृपो नाम्नापराजितः ॥ ४२२ ॥ सोऽभूत्प्रपद्य चारित्रं सुगुरोः पिहिताश्रवात् । एकत्रिंशत्सागरायु-र्देवो गवेयकेंतिमे ॥ ४२३ ॥ वत्सदेशेषु कौशाम्ब्यां नगर्यां धरभूपतेः । अभूत्सुतः सुसीमायां राड्यां पैद्मप्रभस्ततः ॥ ४२४ ॥ माघस्य षष्ठी कृष्णाथ द्वादशी च त्रयोदशी । . कार्तिकस्यासिता चैत्र-पौर्णीमासी ततः पुनः ॥ ४२५ ॥ कृष्णा मार्गकादशी च कल्याणकदिनाः क्रमात् । धिष्ण्यं च पंचस्वप्येषु चित्रासंज्ञकमीरितं ॥ ४२६ ॥
તેના જમણા બે હાથમાં વરદ અને શક્તિ તથા ડાબા બે હાથમાં ગદા અને નાગપાશ ધારણ 5२वा ता. ४१८.
દેવી મહાકાલી નામની થઈ, તે સ્વર્ગસમાન વર્ણવાળી, કમળના આસનવાળી, ચાર ભુજાવાળી, તેના જમણા બે હાથમાં વરદ અને પાશ અને ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશ ધારણ કરનારી, સુમતિનાથપ્રભુના ભક્તોના મનોરથોને નિરંતર પૂરનારી થઈ. ૪૨૦-૪૨૧. ઇતિ શ્રી સુમતિ.
શ્રી પદ્મપ્રભપ્રભુ વર્ણન - પૂર્વભવમાં ધાતકીખંડના પૂર્વમહાવિદેમાં વત્સ નામના વિજયમાં, સુસીમાં નામની મહાપુરીમાં અપરાજિત નામે રાજા હતા. ૪૨૨.
તે પિહિતાશ્રવ નામના ગુરૂપાસે ચારિત્ર અંગીકાર કરીને, નવમા ગ્રેવેયકમાં ૩૧ સાગરોપમના આયુષ્યવાળા દેવતરીકે ઉત્પન્ન થયા. ૪૨૩.
ત્યાંથી ચ્યવીને વત્સદેશમાં કોશામ્બી નામની નગરીમાં ધર રાજા અને સુસીમા રાણીના પુત્રપણે,પપ્રભુ નામના છઠ્ઠા જિનેશ્વર થયા. ૪૨૪.
મહા વદ ૬, કાર્તક વદ ૧૨, કાર્તક વદ ૧૩, ચૈત્ર સુદ ૧૫ અને માગસર વદ ૧૧-આ અનુક્રમે પાંચ કલ્યાણકના દિવસો થયા અને પાંચે કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયા. ૪૨૫-૪૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org