________________
કાલલોક-સર્ગ ૩૨ नानारत्नाद्यलंकारैः प्रभोर्देहविभूषणां । दृष्ट्वा देवैः कृतां लोके प्रावर्तत विभूषणा ॥ १२८ ॥ ब्राम्या दक्षिणहस्तेन दर्शिता लिपयोऽखिलाः । एकट्यादि च संख्यानं सुंदर्या वामपाणिना ॥ १२९ ॥ काष्ठपुस्तकादिकर्मैवं भरतस्योपदर्शितं । दर्शितं बाहुबलिने स्त्रीनराश्वादिलक्षणं ॥ १३० ॥ वस्तूनां मानमुन्मान-मुपमानं तथाऽपरं । प्रमाणं गणितं चेति पंचकं व्यवहारकृत् ॥ १३१ ॥ मानं द्विधा धान्यमानं रसमानं तथाऽपरं । धान्यमानं सेतिकादि कर्षादि च रसस्य तत् ।। १३२ ।। पूगीफलादेर्गण्यस्यो-न्मानं संख्यानुमानतः । सहस्रं नालिकेराणां पुंजेऽस्मिन्निति कल्पना ॥ १३३ ॥ उपमानं च तौल्येन पलादिपरिभावनं । હતફંડવિના પૂમિ-વસ્ત્રાહે નિતિઃ સ્કુટા / ૦૩૪ .
વિવિધ પ્રકારના રત્નના અલંકારોવડે દેવોએ કરેલી પ્રભુના શરીરની શોભા જોઈને લોકોમાં પણ આભૂષણો કરાવવાની (પહેરવાની) પ્રવૃત્તિ ચાલી. ૧૨૮.
પ્રભુએ જમણે હાથે બ્રાહ્મીને સર્વ પ્રકારની લિપિઓ બતાવી અને સુંદરીને ડાબા હાથવડે એક બે વિગેરે સંખ્યા (અંકવિદ્યા) બતાવી. ૧૨૯.
કાષ્ઠપુસ્તકાદિકમ ભરતને શિખવ્યા અને બાહુબલિને સ્ત્રી, પુરૂષ અને અશ્વાદિના લક્ષણો સમજાવ્યા. ૧૩૦.
વસ્તુઓના માન, ઉન્માન, ઉપમાન, પ્રમાણ અને ગણિત-એ પાંચ પ્રકારે વ્યવહાર બતાવ્યો. ૧૩૧.
તેમાં માન બે પ્રકારે-ધાન્યમાન અને સમાન. ધાન્યમાન સેતિકાદિ અને રસમાન કર્યાદિ સમજવું. ૧૩ર.
સોપારી વિગેરે ગણીને વેચવા લાયકની સંખ્યા અનુમાનથી નકકી કરવી. આ નાળીયેરના ઢગલામાં હજાર નાળીયેર છે, એમ કલ્પનાથી કહી દેવું તે ઉન્માન સમજવું. ૧૩૩.
તોલથી આટલા પલાદિ તોલમાં છે એમ કહેવું, તેમજ હાથ અને દડાદિવડે ભૂમિ તેમજ વસ્ત્રાદિનું જે સ્પષ્ટપણે પ્રમાણ કહેવું, તે ઉપમાન સમજવું. ૧૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org