________________
અયોધ્યાનું વર્ણન
अष्टोत्तरसहस्रं तु जिनानां भवनान्यभूः । उच्चैर्ध्वजाग्रसंक्षुब्ध-तीक्ष्णांशुतुरगाण्यधः ॥ १०६ ॥ चतुष्पथप्रतिबद्धा-श्चतुरशीतिरुच्चकैः । प्रासादाचार्हतां रम्या हिरण्यकलशैर्बभुः ॥ १०७ ॥ सौधानि हिरण्यरत्न-मयान्युच्चैः सुमेरुवत् । कौबेर्यां सपताकानि चक्रे स व्यवहारिणां ॥ १०८ ॥ दक्षिणस्यां क्षत्रियाणां सौधानि विविधानि च । अभूवन् शस्त्रागाराणि तेजांसीव निवासिनां ॥ १०९ ॥ तद्वप्रांतश्चतुर्दिक्षु पौराणां सौधकोटयः । व्यराजंत घुसद्यान-समानविशदश्रियः ॥ ११० ॥ सामान्यकारुकाणां च बहिः प्राकारतोऽभवन् । कोटिसंख्याश्चतुर्दिक्षु गृहाः सर्वधनाश्रयाः ॥ १११ ॥ अपाच्यां च प्रतीच्यां च कारुकाणां बभुर्गृहाः । एकभूममुखास्त्र्यस्रा-स्त्रिभूमिं यावदुच्छ्रिताः ॥ ११२ ॥
ઉંચે રહેલી ધ્વજાના અગ્રભાગથી સૂર્યના અશ્વોને ક્ષોભ પમાડે તેવા, એક હજાર ને આઠ જિનભવનો બનાવ્યા. ૧૦૬.
ચતુષ્પથમાં બનાવેલા ઉંચા, મનોહર, અરિહંતના ચોરાશી પ્રાસાદો સુવર્ણમય કળશોવડે શોભતા હતા. ૧૦૭.
વેપારીઓના ઘરો, હિરણ્યરત્નમય મેરૂપર્વત જેવા ઉંચા, પતાકા સહિત ઉત્તરદિશામાં બનાવ્યા. ૧0૮.
દક્ષિણ દિશામાં ક્ષત્રિયોના વિવિધ પ્રકારના મહેલો બનાવ્યા અને ત્યાં રહેનારાઓના જાણે તેજ હોય, એવા અનેક શસ્ત્રાગારો બનાવ્યા. ૧૦૯.
તે નગરીના ગઢમાં ચારે દિશાએ દેવતાઓના વિમાન જેવા ઉજ્વલ શોભાવાળા ક્રોડો મકાનોની શ્રેણિઓ પીરજનો માટે બનાવવામાં આવી. ૧૧૦.
સામાન્ય કારૂકો માટે ગઢની બહાર ચારે દિશામાં સર્વ પ્રકારના ધનના આશ્રયવાળા ક્રોડો ઘરો બનાવ્યા. ૧૧૧.
દક્ષિણમાં ને પશ્ચિમમાં કારૂકોના એક ભૂમિથી ત્રણ ભૂમિ સુધી ઉંચા ત્રિકોણ ગૃહો બનાવ્યા. ૧૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org