________________
પરમાત્માનો રાજ્યાભિષેક
युग्मिनां कलहे जातु रीत्या पूर्वोक्तयोत्थिते । निवेदयंति तत्सर्वे ज्ञात्वा ज्ञानाधिकं प्रभुं ॥ ७९ ॥ प्रभुरप्याह राजैव निवारयति दुर्नयात् । स चाभिषिक्तः सर्वेषा-मैश्वर्याहुरतिक्रमः ॥ ८० ॥ स राजास्माकमप्यस्तु तैरित्युक्तेऽवदप्रभुः । नत्वा नाभिं कुलकरं याचध्वं भूपमीप्सितं ॥ ८१ ॥ तैर्विज्ञप्तोऽवदन्नाभि-qयावृषभ एव वः । राजेति तेऽभिषेकार्थं यावद्गच्छंति वारिणे ॥ ८२ ॥ तावत्कंप्रासनः शक्रो-ऽभ्यषिंचद् द्रुतमागतः । राज्येऽर्हन्तं धृतच्छत्रं रत्नसिंहासनस्थितं ॥ ८३ ॥ युग्मम् ॥ अथांभः पूर्णनलिनी-पत्रभाजनपाणयः । आगस्तास्ते प्रभुं दृष्ट्वा सर्वालंकारभासुरं ॥ ८४ ॥ विस्मिता मुदिताश्चांत-रुत्कंठासंभृता अपि । उद्यद्विवेकास्तैनीरै : प्रभोरस्नपयन् पदौ ॥ ८५ ॥
હવે કદાચિત્ અંદર પૂર્વે કહ્યા પ્રમાણે કલહ ઉત્પન્ન થવાથી તેઓએ આવીને ઋષભ પ્રભુને વધારે જ્ઞાનવાલા જાણી તે હકીકત નિવેદન કરી. ૭૯.
પ્રભુએ કહ્યું કે “એવા અન્યાયનું તો રાજા જ નિવારણ કરી શકે. તે રાજા અભિષેક કરાયેલ જોઈને અને પૂન્યથી સર્વને માન્ય હોય. ૮૦.
યુગલિકોએ કહ્યું કે અમારે પણ તેવો રાજા હો ત્યારે પ્રભુએ કહ્યું કે – ‘તમે નાભિરાજાને પ્રણામ કરીને તમારા ઇચ્છિત રાજાની માગણી કરો. ૮૧.
તેઓએ નાભિરાજા પાસે જઈને વિજ્ઞપ્તિ કરી. ત્યારે નાભિરાજાએ કહ્યું કે - “28ષભ જ તમારા રાજા હો ત્યારે તેઓ રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા ગયા, તેવામાં જેનો આસનકંપ થયો છે એવા સૌધર્મેન્દ્ર ઉતાવળે પ્રભુ પાસે આવીને પ્રભુને રાજ્યાભિષેક કર્યો અને રાજાને યોગ્ય છત્ર માથે ધારણ કર્યું તેમજ રત્નસિંહાસન પર પ્રભુને બેસાડ્યા. ૮૨-૮૩.
- હવે કમળપત્રના ભાજન (પડીયા) કરીને તેમાં પાણી ભરી, યુગલિકો તે લઈને પ્રભુ પાસે આવ્યા ત્યાં પ્રભુને તો સવલિંકાર સંયુક્ત જોઈને વિસ્મય પામ્યા-હર્ષિત થયા, અને અંતઃકરણમાં ઉત્કંઠા હોવા છતાં પણ વિવેકપૂર્વક તેઓએ લાવેલા જળવડે પ્રભુના પગોનું પ્રક્ષાલન કર્યું. ૮૪-૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org