________________
સુનંદાની હકીકત
आकुशब्दो भक्षणार्थे इक्षोस्तद्भक्षणेच्छया ।।
રૂાર્મવાત-દ્રુશ્યાāાવ: મૃત: || દૂધ . एवं च - इक्ष्वाकुवंशजा ज्ञेया जिना द्वाविंशतिर्बुधैः ।
हरिवंशसमुद्भूतौ श्रीनेमिमुनिसुव्रतौ ॥ ६६ ॥ तदा च दंपती कौचि-द्विमुच्य सुतनंदने । तालस्याधः प्राविशतां क्रीडायै कदलीगृहं ।। ६७ ॥ तालतः पतता पक्व-फलेन तनयो मृतः । अकालमृत्युराद्योऽत्रा-वसर्पिण्यामभूदयं ॥ ६८ ॥ अवशिष्टां ततः पुत्री प्रतिपाल्य दिवं गतौ । युग्मिनी दंपती स्वल्प-कषायौ तौ शुभाशयौ ।। ६९ ॥ अथात्यंतोत्कृष्टरूपां कन्यामेकाकिनीमिमां । दृष्ट्वा न्यवेदयन् युग्मि-मनुजा नाभयेऽन्यदा ॥ ७० ॥ भविष्यति सुनंदेयं ऋषभस्य परिग्रहः । इति प्रज्ञाप्य तान् सर्वान् नाभिरादृतवानिमां ॥ ७१ ॥
આકુ શબ્દ ભક્ષણાર્થમાં છે. ઈક્ષ જે શેરડી-તે ખાવાની ઈચ્છા હોવાથી ભગવાન ઇક્વાકુ અને તેમના વંશજો ઐક્વાકુ એટલે ઈક્વાકુવંશમાં ઉત્પન્ન થયેલા કહેવાયા. ૬૫.
એ પ્રમાણે બાવીશ તીર્થંકર ઈક્વાકુ વંશમાં થયા અને નેમિનાથ અને મુનિસુવસ્વામી એ બે હરિવંશમાં થયા છે. એમ બુધજનોએ જાણવું. ૬૬.
હવે અન્યદા કોઈ યુગલિક દંપતી પોતાના પુત્ર તથા પુત્રીને એક તાડવૃક્ષની નીચે મૂકીને કદલીગૃહમાં ક્રીડા કરવા ગયા. ૬૭.
તેવામાં તાડવૃક્ષ ઉપરથી પડેલા એક પાકા ફળ વડે પુત્રનું મૃત્યુ થયું. આ અવસર્પિણીમાં આ પહેલું અકાળ મૃત્યુ થયું. ૬૮,
ત્યારપછી બચેલી પુત્રીનું અમુક વખત પ્રતિપાલન કરીને, તે સ્વલ્પકષાયવાળા અને શુભાશયવાળા યુગલિક દંપતી સ્વર્ગે ગયા. ૬૯.
હવે એકદા અત્યંત ઉત્કૃષ્ટ રૂપવાળી તે કન્યાને એકલી ફરતી જોઈને કોઈ યુગલિકોએ તે હકીકત નાભિરાજાને નિવેદન કરી. ૭૦.
એટલે “એ સુનંદા નામની ઋષભની પત્ની થશે’ એમ તે સર્વને કહીને, તે કન્યાને નાભિરાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org