________________
RO
કાલલોક-સર્ગ ૩૨ ततः पंचापि सर्वार्थ-सिद्धेऽभुवन् सुधाभुजः । च्युत्वादौ च ततो वज्र-नाभजीवोऽभवज्जिनः ॥ ५८ ।। मासान् गर्भे नव स्थित्वा चतुर्भिरधिकान् दिनैः । चैत्रस्य श्यामलाष्टम्या-मजनिष्ट जिनेश्वरः ॥ ५९ ॥ गर्भे जन्मनि राज्याप्तौ दीक्षायां केवलोद्भवे । પં પ્રમોત્તરાષાઢાં રાશિઃ યાદ્ધનુરાહ્યયઃ || ૬૦ || व्रतोद्वहनधुर्यत्वा-दादौ वृषभवीक्षणात् ।। स्वप्नेषु मात्रा वृषभां-कत्वाच्च वृषभाभिधाः ॥ ६१ ॥ वृषभः प्रथमो राजा-दिमो भिक्षाचरोऽपि च । आद्योऽर्हन् केवली चेत्य-भुवन् पंचाभिधाः प्रभोः ॥ ६२ ॥ देशोनवर्षवयसि प्रभौ हरिरुपागमत् । जीतमाद्याहतो वंश-स्थापनं ज्ञानतो विदन् । ६३ ।। इझुं शक्रकरे वीक्ष्य प्रसारितकरे प्रभौ । वंशमिक्ष्वाकुनामानं स्थापयामास वासवः ॥ ६४ ॥
ત્યાંથી કાલ કરીને પાંચ મુનિઓ સવસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી વજનાભનો જીવ પ્રથમ ચ્યવીને પ્રથમ દિન તરીકે મરુદેવાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ૫૮.
નવ માસ ને ચાર દિવસ ગર્ભમાં રહીને ચૈત્ર વદિ ૮ ની રાત્રિએ પ્રથમ જિનેશ્વરનો જન્મ થયો. પ૯,
પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે, જન્મ વખતે, રાજ્યપ્રાપ્તિ અવસરે, દીક્ષા સમયે અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ વખતે ઉત્તરાષાઢા નક્ષત્ર હતું (મોક્ષકલ્યાણકે નક્ષત્ર અભિજિતુ) અને રાશિ ધન હતી. ૬૦.
વ્રતોનું વહન કરવામાં ધોરી સમાન હોવાથી તેમજ માતાએ સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયેલ હોવાથી અને વૃષભનું લાંછન (ચિલ) હોવાથી ઋષભ (વૃષભ) એવું નામ સ્થાપન કરવામાં આવ્યું. ૬૧.
ઋષભદેવ, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર (સાધુ), પ્રથમ અરિહંત અને પ્રથમ કેવલી-એવા પાંચ નામ તેમના થયા. ૬ર.
પ્રભુ કાંઈક ઊણ એક વર્ષની વયના થયા ત્યારે, પ્રભુના વંશનું સ્થાપન કરવું એ મારો આચાર છે-એમ જ્ઞાનવડે જાણીને ઈદ્ર, પ્રભુ પાસે આવ્યા. ૩.
ઈદ્રના હાથમાં ઈસુ જોઈને તે લેવા માટે પ્રભુએ હાથ લાંબો કર્યો તેથી ઈઢે પ્રભુના વંશનું ઈક્વાકુ નામ સ્થાપન કર્યું. ૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org