________________
૩૦૯
સૂક્ષ્મ-બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત.
क्षपकस्य ततः श्रेष्ठा-ध्यवसायपव्यपेक्षया । વિષ્યવસાયા: પ્ર-શુષ્પોડધિજા: શુH: 999 || एभ्योऽनुभागबंधस्य स्थानेभ्योऽनंतसंगुणाः । एकाध्यवसायोपात्ताः कर्हिदलिकाणवः ॥ १७२ ॥ तेभ्योऽप्यनंतगुणिताः कर्माणुषु रसांशकाः ।
तच्च भावितमेव प्राक् वर्गणास्पर्द्धकोक्तिभिः ॥ १७३ ॥ तथोक्तपंचसंग्रहे-सेढिअसंखेज्जंसे जोगट्ठाणा तओ असंखिज्जा ।
पगडीभेया तत्तो ठिइभेया होति तत्तोवि ॥ १७४ ॥ ठिइबंधज्झवसाया तत्तो अणुभागबंधठाणाणि ।
तत्तो कम्मपएसा-णंतगुणातो रसच्छेया ॥ १७५ ।। अथ प्रकृतं-जीवोनुभागबंधाध्य-वसायस्थानकान्यथ ।
मरणेन स्पृशत्येकः सर्वाणि निरनुक्रमं ।। १७६ ।। कालेन यावता काल-स्तावान् केवलिनोदितः । भावतः पुद्गलपरा-वृत्तॊ बादर आगमे ॥ १७७ ॥ एतान्येव स्पृशत्येकः क्रमात्कालेन यावता । માવતઃ પુત્યુ નિપVI-વર્ત: સૂક્ષ્મ તાવતા | 9૭૮ |
તેથી ક્ષેપકના શ્રેષ્ઠ અધ્યવસાયોની અપેક્ષાએ પૂર્વે અશુભ કરતાં શુભ અધ્યવસાયો અધિક કહ્યા છે. ૧૭૧.
એ અનુભાગબંધના સ્થાનો કરતાં એક અધ્યવસાયે ગ્રહણ કરેલા કર્મયોગ્ય દલિકના અણુ અનંતગુણા છે. ૧૭૨.
તેનાથી અનંતગુણા તે કમણુિઓમાં રસાંશો છે. તે પૂર્વે વગણા અને રૂદ્ધકની વાતમાં બતાવેલ છે. ૧૭૩.
પંચસંગ્રહમાં કહ્યું છે કે “શ્રેણિના અસંખ્યાતમે ભાગે યોગસ્થાન, તેનાથી અસંખ્યાતગુણા પ્રકૃતિભેદો, તેનાથી અસંખ્યાતગુણા સ્થિતિભેદ, તેનાથી અસંખ્યાતગુણા સ્થિતિભેદનાં અધ્યવસાયસ્થાન, તેનાંથી અસંખ્યાતગુણા અનુભાગબંધના સ્થાન, તેનાથી અનંતગુણા કર્મપ્રદેશો અને તેનાથી અનંતગુણા તેમાં રહેલા રસચ્છેદો જાણવા. ૧૭૪-૧૭પ.
જીવ સર્વ અનુભાગબંધના અધ્યવસાય સ્થાનોને અનુક્રમ વિના મરણોપડે એટલે કાલે સ્પર્શી તેટલા કાલને આગમમાં કેવલીએ ભાવથી બાદરપુદ્ગલપરાવર્ત કહેલ છે. ૧૭-૧૭૭.
એ બધા અધ્યવસાય સ્થાનો ક્રમસર જેટલા કાલે સ્પર્શે તેટલા કાલને ભાવથી સૂક્ષ્મપુદ્ગલપરાવર્ત કહેલ છે. ૧૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org