________________
૨૯૮
કાલલોક-સર્ગ ૩૫
स चैकोऽध्यवसायः स्या-नानावैचित्र्यभाजनं । अस्मिन्नेकस्वरूपे हि भवेत्कर्मापि तादृशं ॥ ९७ ॥ विना कारणभेदं हि कार्यभेदो न संभवेत् । कर्मवैचित्र्यबीजस्य तदस्यापि विचित्रता ॥ ९८ ॥ अयं विचित्रतागर्भो-ऽध्यवसायः स्वयं व्रजेत् । संक्लेशं वा विशुद्धिं वा तादृक्सामण्यपेक्षया ॥ ९९ ।। सामग्री च द्रव्यक्षेत्र-कालभावात्मिका तया । संक्लिष्टो वा विशुद्धो वा-ध्यवसायः शरीरिणाम् ॥ १०० ॥ कदाप्यष्टविधे बंधे हेतुर्भवति कर्हिचित् ।
सप्तविधे षड्विधे च कदाप्येकविधेऽपि सः ॥ १०१ ॥ उक्तं च-कहं एगज्झवसायगहियं दलियं अट्ठविहाइ बंधत्ताए परिणमइ ? उच्यतेतस्स अज्झवसाणमेव तारिसं, जेण अट्ठविहाई बंधत्ताए परिणमइ, जहा कुंभगारो मिइपिंडेण सरावाईणि परिणामेइ तस्स तारिसो परिणामो, तेणं परिणामेणं संजुत्तस्स दलियं अट्ठविहाइत्ताए परिणमइ.
અંશની કલ્પના એક અધ્યવસાયવડે ગ્રહણ કરેલા કર્મદ્રવ્યની જાણવી. ૯૫-૯૬.
તે એક અધ્યવસાય જુદી-જુદી વિચિત્રતા યુક્ત હોય છે. જો કદાચ આ અધ્યવસાય એક જ સ્વરૂપવાળો હોય, તો કર્મ પણ એક જ સ્વરૂપવાળું હોવું જોઈએ. ૯૭.
કેમકે કારણના ભેદ વિના કાર્યનો ભેદ સંભવે નહીં, તેથી કર્મની વિચિત્રતાના બીજરૂપ આવી (અધ્યવસાયની) પણ વિચિત્રતા સમજવી. ૯૮.
આ વિચિત્રતાવાળો અધ્યવસાય પોતાની મેળે તેવા તેવા પ્રકારની સામગ્રીની અપેક્ષાએ સંક્લેશને અથવા વિશુદ્ધિને પામે છે. ૯૯.
અને તે સામગ્રી: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ છે, તેના વડે જીવોના અધ્યવસાય સંક્લિષ્ટ કે વિશુદ્ધ થાય છે. ૧૦૦.
તે અધ્યવસાય કોઈ વખત આઠ પ્રકારના બંધમાં, કોઈ વખત સાતપ્રકારનાં બંધમાં, કોઈ વખત છ પ્રકારના બંધમાં અને કોઈ વખત એક પ્રકારનાં બંધમાં હેતુભૂત થાય છે. ૧૦૧.
કહ્યું છે કે-એક અધ્યવસાયે ગ્રહણ કરેલા કર્મદલિક આઠ પ્રકારનાં કર્મપણે શા કારણથી પરિણમે ?”
ઉત્તર :- “તેના અધ્યવસાય જ એવા છે કે જેથી આઠ પ્રકારનાં કર્મપણે પરિણમે છે. જેમ કુંભાર માટીના પિંડને સરાવલા વિગેરે રૂપે પરિણમાવે છે. તેનો તેવો પરિણામ હોય છે તેથી તેવા પરિણામથી યુક્ત કર્મલિક આઠ પ્રકારનાં કર્મપણે પરિણમે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org