________________
૨૮૭
ઔદારિકાદિને ગ્રહણગ્રહણ વર્ગણાઓ.
उत्कृष्टौदारिकानौं यास्ता एकाणुनाधिकाः । जघन्या वैक्रियााः स्यु-स्ततो व्याद्यणुभिर्युताः ॥ २२ ॥ मध्यमा वैक्रियार्हाः स्यु-स्तदर्होत्कृष्टकावधि । जघन्यमध्यमोत्कृष्टा वैक्रियानुचितास्ततः ॥ २३ ॥ वैक्रियापेक्षया भूयो-ऽणुकाः सूक्ष्मा अमूः किल ।। आहारकापेक्षया च स्थूलाः स्तोकाणुका इति ॥ २४ ॥ एवमग्रेऽपि भाव्यं. जघन्यमध्यमोत्कृष्टा-स्तत आहारकोचिताः । तदनस्तितस्त्रेधा ततश्च तैजसोचिताः ॥ २५ ॥ ततस्तथैव त्रिविधा-स्तैजसानुचितास्ततः । त्रेधा भाषोचिता भाषा-नुचिताश्च ततस्त्रिधा ॥ २६ ॥ आनप्राणोचितास्त्रेधा तदनस्तितस्त्रिधा । મનોગતનશ્ચ ત્રિવિધાઃ ચુસ્તત: માતુ / ર૭ |
છે અને વૈક્રિયની અપેક્ષાએ તો સ્વલ્પ પરમાણુઓથી ઉત્પન્ન થયેલી હોવાથી ધૂળ પરિણામવાળી હોય છે. તેથી તે વૈક્રિયને અનુચિત (ગ્રહણને અયોગ્ય) હોય છે, કેમકે તે વૈક્રિય શરીર પૂર્વના દારિક કરતાં વધારે સૂક્ષ્મ સ્કંધોથી ઉત્પન્ન થયેલું હોય છે. ૨૦-૨૧.
દારિકને અયોગ્ય એવી ઉત્કૃષ્ટ વગણા કરતાં એક અણુથી અધિક, તે જઘન્ય વૈક્રિયને ગ્રહણ યોગ્ય વર્ગણા સમજવી. તેમાં બે આદિ અણુઓયુક્ત થવાથી મધ્યમ વૈક્રિય યોગ્ય વર્ગણાઓ. થાય છે. તે વૈક્રિય યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા સુધી સમજવી. ત્યારપછી વૈક્રિયને અયોગ્ય એવી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વગણાઓ જાણવી; ૨૨-૨૩.
કેમકે તે વૈક્રિયની અપેક્ષાએ વધારે અણુઓવાળી અને સૂક્ષ્મ પરિણામવાળી છે; તથા આહારકની અપેક્ષાએ તે સ્થૂલ પરિણામવાળી અને ઓછા અણુઓવાળી હોય છે. ૨૪.
એ પ્રમાણે આગળ પણ સમજવું.
ત્યારપછી આહારકને ઉચિત જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વર્ગણા જાણવી. ત્યારપછી તેને અયોગ્ય ત્રણ પ્રકારની જાણવી. ત્યારપછી તૈજસને ઉચિત ત્રણ પ્રકારની જાણવી. ૨૫.
પછી તૈજસને અનુચિત ત્રણ પ્રકારની જાણવી. પછી ત્રણ પ્રકારની ભાષાને ઉચિત, પછી ત્રણ પ્રકારની ભાષાને અનુચિત. ૨૬.
પછી ત્રણ પ્રકારની આનપ્રાણ (શ્વાસોશ્વાસ) ને ઉચિત, પછી ત્રણ પ્રકારની આનપ્રાણને અનુચિત, પછી ત્રણ પ્રકારની મનને ઉચિત, પછી ત્રણ પ્રકારની મનને અનુચિત એમ અનુક્રમે જાણવું. ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org