________________
પ્રથમ જિનની ઉત્પત્તિ.
૨૫૯ इदं वीरमहापद्मयोर्निर्वाणोत्पादयोरंतरं ज्ञेयं. श्रेणिकराजजीवस्य तु नरके किंचिदुक्तांतरकालादधिकमेवायुःसंभवि, श्रेणिके मृते तु कियत्कालं वीरार्हत इह विहारात्तावतः कालस्य तदायुष्यधिकत्वादिति.
स चतुर्दशभिः स्वप्नैः सूचितः शक्रपूजितः । जनिष्यते दिने यस्मिन् तस्मिंस्तत्र पुरेऽभितः ॥ ३१० ।। अंतर्बहिश्च पद्मानां रलानां चातिभूयसां । वृष्टिर्भविष्यति प्राज्या वारामिव तपात्यये ॥ ३११ ॥ ततः पित्रादयस्तस्य मुदिता द्वादशे दिने । करिष्यति महापद्म इति नाम गुणानुगं ।। ३१२ ।। साधिकाष्टाब्दवयस-मथैनं सुमतिः पिता । स्थापयिष्यति राज्ये स्वे ततो राजा भविष्यति ॥ ३१३ ॥ राज्यं पालयतस्तस्य शक्रस्येव महौजसः । देवौ महर्द्धिकावेत्य सेविष्येते पदद्वयं ॥ ३१४ ॥ यक्षाणां दाक्षिणात्यानां पूर्णभद्राभिधः प्रभुः । माणिभद्रश्चौत्तराह-यक्षाधीशः सुरेश्वरः ॥ ३१५ ।।
ને સાત વર્ષ ઉપર પાંચ માસનું જાણવું.' ૩૦૯. ઈતિ નંદીવૃત્તૌ.
આ અંતર વીરપ્રભુના નિર્વાણ અને મહાપદ્મ પ્રભુની ઉત્પત્તિનું જાણવું, તેથી શ્રેણિકરાજાના જીવનું નરકાયુ આ અંતર ધ્યાનમાં લેતાં ૮૪000 વર્ષથી અધિક સંભવે છે; કેમકે આ પાંચ વર્ષ ને સાત માસનું તથા શ્રેણિક રાજાના મરણ પછી કેટલોક કાળ વીરપ્રભુ વિચર્યા હતા તેથી તેટલા કાળનું તેના આયુષ્યમાં અધિકપણું સમજવું.
તે ચૌદ સ્વપ્નવડે સૂચિત અને ઈદ્રપૂજિત પ્રભુ, જે દિવસે જન્મશે તે દિવસે તે નગરની ચારેતરફ, ગીષ્મઋતુસંબંધી તાપ ગયા પછી પુષ્કળ જળની વૃષ્ટિ થાય તેવી- અંદર અને બહાર અત્યંત પઘોની અને રત્નોની વૃષ્ટિ, થશે. ૩૧૦-૩૧૧.
તેથી માતાપિતા વિગેરે હર્ષિત થઈને બારમે દિવસે મહાપદ્મ એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપન કરશે. ૩૧૨.
કાંઈક અધિક આઠ વર્ષની વયે સુમતિ પિતા તેમને પોતાના રાજ્યપર સ્થાપન કરશે એટલે તે રાજા થશે. ૩૧૩.
શક્ર જેવા મહાતેજસ્વી એવા તે પ્રભુના રાજ્યકાળ દરમ્યાન મહર્દિક બે દેવો આવીને તેમના ચરણ કમલની સેવા કરશે. ૩૧૪.
દક્ષિણનિકાયના ઇદ્ર પૂર્ણભદ્ર અને ઉત્તરનિકાયના ઇદ્ર માણિભદ્ર એ બંને યક્ષેદ્રો તે પ્રભુના .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org