________________
૨૨૫
બકુશ, કુશીલ આદિનું વર્ણન.
विसमा अज्जतुलाओ विसमाणि य जणवएसु माणाणि । विसमा रायकुलाइं तेण उ विसमाई वासाइं ॥ ७१ ॥ विसमेसु अ वासेसु हुंति असराई ओसहिबलाई ।
ओसहिदोब्बलेण य आउं परिहायइ नराणं ॥ ७२ ।। बकुशाश्च कुशीलाश्च स्युर्द्धिधैवात्र साधवः । न स्युः पुलाकनिग्रंथ-स्नातकाः कालदोषतः ॥ ७३ ॥ यस्यातिचारपंकेन चारित्रं बकुशं भवेत् ।। बकुशः श्रमणः स स्यात् बकुशं नाम कर्बुरं ।। ७४ ।। स च द्विधोपकरण-देहातिचारभेदतः । आद्यस्तत्रर्तुबद्धेऽपि काले निर्णेक्ति चीवरं ॥ ७५ ॥ परिधत्ते विभूषायै श्लक्ष्णं सारं तदीहते । दंडपात्रादिकं मृष्टं कृतशोभं बिभर्ति च ।। ७६ ॥ मात्राधिकं चेहते तत् बकुशोऽयमिहादिमः ।। अन्यस्तु नखकेशादि विना कार्यं विभूषयन् ॥ ७७ ॥
ખોટા માન આદિ સર્વની વૃદ્ધિ થતી જશે. ૭૦. - તોલા વિગેરે વિષમ થશે અને જનપદમાં માન-માપ પણ વિષમ થશે. રાજકુળમાં વિષમતા આવશે તેથી વરસાદ પણ વિષમ આવશે. ૭૧.
વરસાદ વિષમ આવવાથી ઔષધિઓના બળ પણ અસાર થશે (ધાન્યો કસવિનાના ઉગશે) અને ઔષધિઓના દુર્બલપણાથી મનુષ્યોનું આયુ પણ પરિહાનિ પામશે.” ૭૨.
કાળદોષથી આ પાંચમા આરામાં સાધુઓ બકુશ અને કુશીલ એ બે પ્રકારના જ થશે, પણ પુલાક, નિગ્રંથ કે સ્નાતક મુનિઓ નહીં થાય. ૭૩.
જેમનું ચારિત્ર અતિચારરૂપ પંકથી બકુશ હોય, તે બકુશ શ્રમણ કહેવાય, બકુશ એટલે કાબરચિતરૂં જાણવું. ૭૪.
એ બકુશ બે પ્રકારના છે. ઉપકરણબકુશ અને દેહાતિચારબકુશ. તેમાં ઉપકરણબકુશ, ઋતુબદ્ધ કાલે પણ વસ્ત્રને ધુએ છે, તથા ઝીણા અને સારા દેખાવવાળા વસ્ત્રો ધારણ કરે છે, દંડપાત્રાદિને ઘસારીમઠારીને શોભાવાળા કરીને ધારણ કરે છે. અને પ્રમાણથી અધિક ઉપકરણો પહેલા પ્રકારના બકુશ મુનિ રાખે છે. બીજા પ્રકારના બકુશ મુનિ નખકેશાદિની કાર્યવિના પણ વિભૂષા કરે છે. આ બંને પ્રકારના બકુશો પોતાનો પરિવાર વધારવા ઈચ્છે છે અને પાંડિત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org