________________
૨૧૦
કાલલોક-સર્ગ ૩૩ वसुदेवस्य भूपस्य देवकीकुक्षिजोंगजः । कृष्णाख्यो वासुदेवोऽभू-नवमोऽनवमद्युतिः ॥ ३७८ ॥ रामाख्यो बलदेवोऽभू-द्रोहिणीकुक्षिसंभवः ।। अस्य भ्राता विभात्रेयः परमप्रीतिभाजनं ॥ ३७९ ॥ अयं श्रीनेमिनाथस्य पितृव्यतनयः स्मृतः । यतः समुद्रविजय-वसुदेवौ सहोदरौ ॥ ३८० ॥ अयं वर्षसहस्रायु-र्दशचापोच्छ्रितोऽभवत् । विभ्रत्क्षायिकसम्यक्त्वं श्राद्धो नेमिजिनेशितुः ॥ ३८१ ॥ इति कृष्णः ।। पंचाशीतिर्वत्सराणां लक्षाण्याद्यस्य जीवितं । द्वितीयस्यायुरब्दानां लक्षाणि पंचसप्ततिः ॥ ३८२ ।। पंचषष्टिस्तृतीयस्य वर्षलक्षाणि जीवितं । तुर्यस्य पंचपंचाश-द्वर्षलक्षास्तदीरितं ॥ ३८३ ॥ लक्षाण्येवं सप्तदश पंचमस्यायुरद्भुतं । षष्ठस्याब्दसहस्राणि पंचाशीतिर्भवेदिदं ॥ ३८४ ।। पंचषष्टिः सहस्राणि वर्षाणां सप्तमस्य तत् । वत्सराणां पंचदश-सहस्राण्यष्टमस्य च ॥ ३८५ ॥
મહાપુરીમાં વસુદેવ રાજાની દેવકી નામની રાણીની કુક્ષિથી કૃષ્ણ નામે અતિસુંદર કાંતિવાળા નવમા वासुदेव थया. उ७७-3७८.
તેમના મોટા ભાઈ રોહિણી રાણીની કુક્ષિથી થયેલા રામ નામના બળદેવ થયા. એ કૃષ્ણની અપરમાતાના પુત્ર હોવા છતાં પરમપ્રીતિ પાત્ર થયા. ૩૭૯.
એ બંને નેમિનાથના કાકાના પુત્ર કહ્યા છે. કારણ કે સમુદ્રવિજય (નેમિનાથના પિતા) અને વસુદેવ બંને ભાઈ હતા. ૩૮૦.
આ કૃષ્ણ એક હજાર વર્ષના આયુવાળા, દશ ધનુષ્ય ઉંચા શરીરવાળા, ક્ષાયિક સમકિતને ધારણ કરનારા અને નેમિનાથના શ્રાવક હતા. ૩૮૧. ઈતિ કૃષ્ણઃ ૯I
નવ બળદેવના પહેલાનું આયુષ્ય ૮૫ લાખ વર્ષનું, બીજાનું ૭૫ લાખ વર્ષનું, ત્રીજાનું ૬૫ લાખ વર્ષનું. ચોથાનું પપ લાખ વર્ષનું, પાંચમાનું ૧૭ લાખ વર્ષનું, છઠ્ઠાનું ૮૫ હજાર વર્ષનું, સાતમાનું ૬૫ હજાર વર્ષનું, આઠમાનું ૧૫ હજાર વર્ષનું અને નવમાનું ૧૨૦૦ વર્ષનું હતું. ૩૮૨-૩૮૬.
ત્રણ બળદેવ અનુત્તરમાંથી અવીને, ત્રણ મહાશુકથી અવીને, ત્રણ બ્રહ્મદેવલોકથી ચ્યવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org