________________
૧૮૭
પ્રથમ વાસુદેવનું વર્ણન
समीपस्थं कपित्थुटुं ततो मुष्ट्या प्रहत्य सः । तत्फलौघं प्रपात्योर्ध्या योधांस्तानभ्यधाक्रुधा ॥ २०४ ।। मौलीन् वः पातयाम्येवं भक्तिः स्याद्राज्ञि चेन मे । यूयं जीवत रे स्वामि-संयुता मदुपेक्षिताः ॥ २०५ ॥ इत्युक्त्वानर्थमूलत्वं भोगानां परिभावयन् । संभूतमुनिपादांते संयमं प्रत्यपादि सः ॥ २०६ ।। स दुष्करं तपः कुर्व-न्नेकदा मथुरापुरे । मासक्षपणपर्यंते गतो गोचरचर्यया ।। २०७ ॥ तत्राहत्यैकया धेन्वा कृशीयान् पातितो भुवि । तत्रोद्वाहार्थमेतेन दृष्टो विशाखनंदिना ॥ २०८ ॥ हसितश्च क्व ते बंधो कपित्थच्यावनं बलं । ततः क्रुद्धः स तां धेनुं शृंगे धृत्वांबरेऽक्षिपत् ॥ २०९ ।। निदानं कृतवांश्चैवं तीव्रण तपसामुना । भूयिष्ठवीर्यो भूयास-मजय्यस्त्रिदशैरपि ॥ २१० ॥ निदानं तदनालोच्य ततो मृत्वा समाधिना ।
અમૂ મહાશુ ૩સ્થિતિ: ગુરઃ | ૨૦ || પછી તેણે નજીકમાં રહેલા કોઠાના ઝાડને મુષ્ટિવડે પ્રહાર કરીને તેના સર્વ ફળોને પૃથ્વી પર પાડી દઈ તે યોદ્ધાઓને કોલવડે કહ્યું કે - “હે સુભટો ! જો મને રાજા વિશ્વનંદી પ્રત્યે ભક્તિ ન હોત, તો તમારા મસ્તકો આ રીતે જ છુટા પાડી નાખત. તમે તમારા સ્વામી સહિત મારી ઉપેક્ષાથી જ જીવતા રહો.” ૨૦૪-૨૦પ.
આ પ્રમાણે કહીને સંસારના ભોગો અનર્થનું મૂળ છે - એમ વિચારીને તેઓએ સંભૂતમુનિની. પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૨૦૬.
દુષ્કર તપને તપતા એવા તે મુનિ, એકદા માસક્ષમણને પારણે મથુરાપુરીમાં ગોચરી માટે ગયા. ૨૦૭.
ત્યાં કોઈ ગાયે તે દુર્બળ થઈ ગયેલા મુનિને માથું મારીને પૃથ્વીપર પાડી દીધા. તે વખતે ત્યાં વિવાહ પ્રસંગે આવેલા વિશાખાનંદીએ તેમને પડી જતાં જોયા. ૨૦૮.
એટલે તે હસીને બોલ્યો કે- “બાંધવ ! પેલું કોઠા પાડી દેવાવાળું બળ ક્યાં ગયું?' તે સાંભળીને તેઓએ ક્રોધાયમાન થઈ તે ગાયને શીંગડાવડે ઉપાડી આકાશમાં ફેરવીને ફેંકી. ૨૦૯.
પછી નિયાણું કર્યું કે -‘આ તીવ્ર તપના બળથી હું અત્યંત બળવાળો અને દેવોથી પણ અજય થાઉં.” ૨૧૦.
આ નિયાણાને આલોચ્યા વિના સમાધિવડે મરણ પામીને સાતમાં મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org