________________
વાસુદેવ વિ.ના ચરિત્રો
૧૮૫ ऋषभाजितयोवरि भरतः सगरः क्रमात् । जातौ तृतीयतुर्यौ च धर्मशांत्योरिहांतरे ॥ १८९ ॥ त्रयश्च चक्रिणोऽहंतः शांत्याद्याः स्वयमेव हि । अरमल्लयोरंतराले सुभूमश्चक्रवर्त्यभूत् ॥ १९० ।। नवमोऽभून्महापद्मो मुनिसुव्रतवारके । दशमो नमिवारेऽभूत्रमिनेम्यंतरे जयः ॥ १९१ ।। अभवद्ब्रह्मदत्तश्चां-तरे श्रीनेमिपार्श्वयोः । स्वरूपं चक्रिणामेव-मुक्तं वक्ष्येऽथ शाङ्गिणां ॥ १९२ ।। त्रिपृष्ठश्च १ द्विपृष्ठश्च २ स्वयंभूः ३ पुरुषोत्तमः ४ । તથા પુરુષસંદશ ૧ પુરુષ: પુરવઠત: ૧૧૩ || दत्तो ७ नारायणः ८ कृष्णो ९ वासुदेवा अमी नव । अचलो १ विजयो २ भद्रः ३ सुप्रभश्च ४ सुदर्शनः ५ ।। १९४ ॥ आनंदो ६ नंदनः ७ पद्मो ८ राम ९ श्चेति यथाक्रमं । अमी विष्णुविमात्रेया बलदेवा स्मृता नव ॥ १९५ ॥ अश्वग्रीव १ स्तारकश्च २ मेरको ३मधुकैटभः ४ । निशुंभ ५ बलि ६ प्रह्लाद ७-रावणा ८ मगधेश्वरः ९ ॥ १९६ ॥
સિવાય નવ ચક્રીઓએ વિરક્ત એવા હજાર-હજારના પરિવાર સાથે ચારિત્ર લીધું હતું. ૧૮૭-૧૮૮.
સમય-ભરત અન સગર ચકી અનુક્રમે ઋષભદેવ અને અજિતનાથના સમયમાં, ત્રીજા અને ચોથા ચક્રી ધર્મનાથ અને શાંતિનાથના આંતરામાં, ત્યારપછી ત્રણ અરિહંતો શાંતિનાથ વિગેરે પોતે જ ચકી થયા, આઠમાં સુભૂમ અરનાથ અને મલ્લિનાથના આંતરામાં, નવમા મહાપદ્મ મુનિસુવ્રતસ્વામીનાં શાસનમાં, દશમાં ચકી નમિનાથનાં શાસનમાં, અગ્યારમાં જયચકી નમિનાથ અને નેમિનાથના આંતરામાં અને બારમા બ્રહ્મદત્ત ચક્રી નેમિનાથ અને પાર્શ્વનાથના આંતરામાં થયા. આ પ્રમાણે ચક્રવર્તીઓનું સ્વરૂપ કહ્યું, હવે વાસુદેવોનું ચરિત્ર કહીએ છીએ. ૧૮૯-૧૯૨. ઇતિ ચક્રવર્તીચરિત્ર
- વાસુદેવ વગેરેનાં ચરિત્રો ૧ ત્રિપૃષ્ઠ, ૨ દ્વિપૃષ્ઠ, ૩ સ્વયંભૂ, ૪ પુરુષોત્તમ, ૫ પુરુષસિંહ, ૬ પુરુષપુંડરીક, ૭ દત્ત, ૮ નારાયણ (લક્ષ્મણ) ૯ કૃષ્ણ. આ નવ વાસુદેવ જાણવા.
૧ અચળ, ૨ વિજ્ય, ૩ ભદ્ર, ૪ સુપ્રભ, પ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ પહ્મ, (રામચંદ્ર) ને ૯ રામ (બળભદ્ર) આ નવ અનુક્રમે વાસુદેવની અપરમાતાથી જન્મેલા બળદેવો જાણવા. ૧૯૩-૧૯૫.
૧ અશ્વગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મધુકૈટભ, ૫ નિશુંભ, ૬ બલિ, ૭ પ્રહલાદ, ૮ રાવણ, ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org