________________
૧૮૦
કાલલોક-સર્ગ ૩૩ बालं सुप्तं सुतं सद्यः परिणीतं स्नुषान्वितं । अंत्यदेहापि चुलनी जिघांसामास धिक् स्मरं ॥ १५४ ॥ जाग्रत्येव ब्रह्मदत्ते मित्रचित्रकथारसैः । जज्चाल चुलनीक्षिप्तो ज्वलनोऽस्मिन् गृहेऽभितः ॥ १५५ ॥ ततोऽधःस्थसुरंगां मां मंत्रिपुत्रेण दर्शितां । लूतापुटवद्भिध निरगान्मित्रयुक् ततः ॥ १५६ ॥ धनुना धारितावश्वा-वारुखैतावुभावपि । निशि तस्यामयासिष्टां पंचाशद्योजनी द्रुतं ॥ १५७ ॥ अतिश्रमाद्विपन्नौ तौ तुरंगौ पंचहायनौ । ततः पद्भ्यां प्रस्थितौ तौ छन्नं दीर्घचमूभयात् ॥ १५८ ॥ प्राच्यपुण्यानुभावेन ब्रह्मदत्तः पदे पदे । પર્યાવીહતીમૂવરી: વેવરી: નીઃ || ૧૧ | क्रमात्स भूरिसंपत्तिः पितृमित्रैस्त्रिभिर्नृपैः । સલેન્થઃ વૃતસાહી: છાંપીન્યપુરમણ્ય'IC N 9૬૦ છે.
ચુલનીએ સુવા માટે મોકલ્યો. ૧૫૩.
કર્તા કહે છે, કે –“જુઓ ! બાળક, પુત્ર, સુતેલો, તરતનો પરણેલો અને પુત્રવધૂ સહિત તેને પણ મારવા માટે અંત્યદેહા (ચરમશરીરી) એવી પણ ચુલની તૈયાર થઈ તેથી એવા કામદેવને ધિક્કાર છે! ૧૫૪.
અહીં બ્રહ્મદત્ત પોતાના મિત્ર વરધનુસાથે વિચિત્ર કથારસ વડે ભાગી રહ્યો છે, તેવામાં તો ચુલનીએ ફેંકેલો અગ્નિ આ લાખના ઘરને ચારે તરફથી બાળવા લાગ્યો. ૧પપ.
તે વખતે મંત્રીપુત્રે બતાવેલી શયાની નીચેના ભાગમાં રહેલી સુરંગની પૃથ્વીને કરોળીયાના પડની જેમ ભેદીને બ્રહ્મદત્ત મિત્ર સહિત તેમાંથી બહાર નીકળ્યો. ૧૫૬.
ત્યાં ધનુમંત્રીએ તૈયાર રાખેલા બે અશ્વોપર આરોહણ કરીને તે બંને બાકી રહેલી રાત્રિમાં જ ઉતાવળા ઉતાવળા પચાસ યોજન નીકળી ગયા. ૧૫૭.
ત્યાં પાંચ પાંચ વર્ષની વયવાળા તે ઘોડા અતિશ્રમ લાગવાથી મરણ પામ્યાં. એટલે પછી દીર્ઘરાજાનું લશ્કર આવી પહોંચવાના ભયથી બંને પગપાળા છાની રીતે આગળ ચાલ્યા. ૧૫૮.
પૂર્વપુણ્યના પ્રભાવથી બ્રહ્મદત્ત સ્થાને સ્થાને ઘણી મનુષ્ય ને વિદ્યાધર કન્યાઓ પરણ્યો. ૧૫૯.
અનુક્રમે તે ઘણી સંપત્તિ મેળવીને પિતાના ત્રણે મિત્રોએ સૈન્યસહિત કરેલી સહાય વડે કાંડિત્યપુર આવ્યો. ૧૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org