SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કાલલોક-સર્ગ ૩૩ एकदा भद्रहस्तिन्या संयोज्य मृगहस्तिनं । ऊचाने पूर्ववद्वाले राज्ञी दीर्घा जगाविति ॥ १४० ॥ नावयोर्जीवितं कांते जीवत्यस्मिन् सुते तव । तदस्मै यदि वा प्रेम्णे देयोऽवश्यं जलांजलिः ॥ १४१ ॥ एतादृग्दुर्वधः पुत्र-स्तादृक् प्रेमापि दुस्त्यजं । इति दोलावलंबिन्यां चुलन्यामयमब्रवीत् ॥ १४२ ॥ नाहं न च त्वं संत्यस्मिन् मत्सत्त्वे बहवोंगजाः । व्यापाद्योऽयमवश्यं तन्मां जीवंतं यदीच्छसि ॥ १४३ ।। ततः प्राणसमः पुत्रः प्राणेशस्तु ततोऽधिकः । ध्यात्वेत्यात्मजघातं सा तदाक्षिण्यादमन्यत ॥ १४४ ॥ उक्तं च-नितंबिन्यः पतिं पुत्रं पितरं भ्रातरं क्षणात् । आरोपयंत्यकार्येऽपि दुर्वृत्ताः प्राणसंशये ॥ १४५ ॥ अथ मंत्री धनुर्दीर्घ-राजमूचे कृतांजलिः । यामि तीर्थमहं जीर्णः पुत्रस्त्वां सेविता मम ॥ १४६ ।। પ્રમાણે આ બાલકે ન્યાય બતાવ્યો છે. એટલે ચુલની કહે છે કે - “આવા બાળકથી તમે શા માટે ડરો છો ?” ૧૩૯. એકદા ભદ્ર જાતિની હાથિણી સાથે મૃગહસ્તીનો સંબંધ કરાવીને પૂર્વ પ્રમાણે જ બ્રહ્મદત્ત બોલ્યો, એટલે ચુલની રાણીને દીર્ઘરાજાએ કહ્યું કે - “હે પ્રિયા ! આ તારો પુત્ર જીવતો રહેશે તો આપણું જીવિત સમજવું નહીં; માટે કાં તો એને અને કાં તો આપણા પ્રેમને અવશ્ય જલાંજલિ આપવી પડશે.” ૧૪૦-૧૪૧. આ પ્રમાણે તેના વચનો સાંભળીને ચુલનીનું મન હિંચોળે ચડયું કે એક બાજુ આવા (ચક્રવર્તી થનાર) પુત્રનો વધ થાય તેમ નથી અને બીજી બાજુ દીર્ઘ સાથેનો પ્રેમ પણ તજી ન શકાય તેવો છે. આવી રીતે વિચારમાં પડેલી ચુલની ને દીર્થે કહ્યું કે “આ પુત્રનાં જીવતાં તો તું ને હું જીવવાના જ નથી. વળી હું હોઈશ તો તારે ઘણા પુત્રો થશે, માટે જો મને જીવતો રાખવા ઈચ્છતી હો, તો તારે અવશ્ય આ પુત્રને મારી નાંખવો જ પડશે.” ૧૪૨-૧૪૩. આ પ્રમાણે સાંભળીને “પ્રાણસમાન પુત્ર છે અને આ પ્રાણેશ તેથી પણ અધિક છે.” એમ વિચારીને તેની દાક્ષિણ્યતાથી પુત્રનો વધ કરવાનું ચુલનીએ કબૂલ કર્યું. ૧૪૪. કહ્યું છે કે - “દુરાચરણી સ્ત્રી પતિને, પુત્રને, પિતાને તેમ જ ભાઈને ક્ષણમાત્રમાં પ્રાણનો નાશ કરે તેવા અકાર્યમાં જોડી દે છે.” ૧૪૫. હવે ધનુમંત્રી દીર્ઘ રાજા પાસે આવી હાથ જોડીને કહે છે કે હું વૃદ્ધ થયો છું તેથી તીર્થ સ્થાનમાં ૧. હલકી જાતનો હાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy