________________
સુભમ ચક્રવર્તિનું વર્ણન
૧૬૯ निर्जिताशेषषखंडः स चंडक्रोधदुर्द्धरः ।। विप्रघातानिववृते न मनागपि निर्दयः ॥ ७७ ॥ सोऽन्यदा धातकीखंड-भरतं जेतुमुत्सुकः । निवारितोऽपि मंत्र्याथै-भृशं दुःशकुनैरिव ।। ७८ ॥ रत्लेन चर्मणांभोधिं तरीतुमुपचक्रमे । अभूच्च बुद्धिर्देवानां चर्मरत्नभृतां तदा ॥ ७९ ॥ बिभ्रत्येवेदमन्येऽमी विश्राम्यामि क्षणं त्वहं । युगपच्चिंतयित्वेति सर्वैस्तन्मुमुचे श्लथं ॥ ८० ॥ ततः स चर्मणा तेन पापेनेव गरीयसा ।
ममज्ज वार्डों देहेन दुर्गतावात्मना पुनः ॥ ८१ ॥ तथोक्तं-तुर्यात्कषायात्पंचत्वं प्राप्य षट्खंडभूपतिः ।
सप्तमं नरकं प्राप-दष्टमश्चक्रवर्त्यसौ ॥ ८२ ।। अष्टाविंशतिकोदंडो-तुंगदेहोऽयमीरितः । षष्टिवर्षसहस्त्रायुश्चामीकरतनुद्युतिः ॥ ८३ ॥ इति सुभूमः ॥ आसीद्वाणारसी नाम काशीदेशे महापुरी ।
तत्र पद्मोत्तरो नाम राजा ज्वाला च तप्रिया ॥ ८४ ॥ પ્રચંડ ક્રોધથી દુર્ધર એવો તે નિર્દય સુભૂમ સમસ્ત છ ખંડને સાધ્યા છતાં. વિપ્રની હિંસા કરતો જ રહ્યો. ૭૭.
અન્યદા ધાતકીખંડના ભરતને જીવવા માટે તે ઉત્સુક થયો. દુઃશકુનની જેમ મંત્રી વગેરેએ બહુ અટકાવવા છતાં ચર્મરત્નવડે લવણસમદ્ર તરી જવા માટે તે તૈયાર થયો. અને બધું લશ્કર ચર્મરત્નપર ચડાવીને ચાલ્યો. તે વખતે ચર્મરત્નને ઉપાડનારા દરેક દેવોની આવી બુદ્ધિ થઈ કે -‘આ રત્નને બીજા દેવો ઉપાડે છે તેથી હું ક્ષણમાત્ર વિસામો લઉં.” આ પ્રમાણે સમકાળે સર્વે (હજારે) દેવોની એવી બુદ્ધિ થવાથી બધા દેવોએ તે ચર્મરત્ન છોડી દીધું. ૭૮-૮૦.
મહાપાપથી જેમ સંસાર સમુદ્રમાં ડૂબી જાય તેમ તે ચર્મરત્નસહિત સુભૂમ ચકી શરીરવડે સમુદ્રમાં ડૂબી ગયો અને આત્માવડે નરકમાં ગયો. ૮૧.
કહ્યું છે કે “ચોથા કષાય (અનંતાનુબંધી લોભ) થી છ ખંડનો રાજા આઠમો ચક્રવર્તી સુભૂમ સાતમી નરકે ગયો.' ૮૨.
તે અઠયાવીશ ધનુષ્ય ઉંચા દેહવાળો, સાઠ હજાર વર્ષના આયુવાળો અને સુવર્ણ જેવી દેહની કાંતિવાળો હતો. ૮૩. ઇતિ સુભૂમઃ ૮ - કાશી દેશમાં વાણારસી નામે મોટી નગરી હતી. ત્યાં પહ્મોત્તર નામે રાજા હતા અને જ્વાલા નામે તેની પ્રિયા હતી. ૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org