________________
૧૬૫
સુભૂમ ચક્રવર્તિનું વર્ણન
नृपेण दत्तामादाय तां प्रसन्नः परा अपि । बटुः कन्याः पटूकृत्य वने नीत्वा पुपोष तां ॥ ४८ ॥ तातवत्परिपोष्यापि सोऽथ कामवशंवदः । जरनरीरमद्वालां श्लथांगोऽप्यश्लथस्पृहः ॥ ४९ ॥ ऋतुकालेऽथ तेनोक्ता सा बाला त्वत्कृते चरुं । साधयामि यतस्ते स्या-नंदनो ब्राह्मणोत्तमः ॥ ५० ॥ सावगू द्वौ साधय चरू तत्र ब्राह्मः कृते मम । अन्यः क्षात्रोऽनंतवीर्य-प्रियाया मत्स्वसुः कृते ॥ ५१ ॥ साधितौ द्वौ चरु तेन ब्राह्मक्षत्रमोहनिधी । તત: સાગર્વિતાધિરે જેવી વર્ધયા દૃશા || ૧૨ | मा भूत्सुतोऽपि मे मद्व-दारण्यो हरिणादिवत् । ध्यात्वेति स्वयमादत्सा क्षात्रतेजः करं चरुं ॥ ५३ ।। द्वितीयं चापरा तेन जातौ कुलविलक्षणौ । રામ: પુત્રો પુજાયા: પરસ્થ: કૃતવર્ય / ૧૪ |
છે-એમ તેણે રાજાને કહ્યું. ૪૭.
એટલે રાજાએ તેને આપી. તેને લઈને પ્રસન્ન થયેલા તે તાપસે કુબડી કરેલી બધી કન્યાઓને પાછી યથાસ્વરૂપ કરી અને રેણુકાને લઈને તે વનનાં-પોતાના આશ્રમમાં આવ્યો. ત્યાં તે તેનું પોષણ કરવા લાગ્યો. ૪૮.
પિતાની જેમ પરિપાલન કરીને પણ કામને વશ એવો અને અંગો શિથિલ થયેલ છતાં જેની સ્પૃહા શિથિલ થઈ નથી એવો તે વૃદ્ધ તાપસ, તે બાળાની સાથે કામક્રીડા કરવા લાગ્યો. ૪૯.
એક વખત ઋતુકાળે તાપસે તે બાળાને કહ્યું કે તારે માટે એક ચરુ અધું કે જેથી તને ઉત્તમ બ્રાહ્મણ પુત્ર થાય.’ પ૦.
એટલે તે રેણુકા બોલી કે તમે બે ચરુ સાધો, તેમાં બ્રાહ્મચરુ મારે માટે અને ક્ષાત્રચરુ અનંતવીર્યની પ્રિયા મારી બહેનને માટે.’ પ૧.
આમ કહેવાથી તેણે બ્રાહ્મ અને ક્ષાત્રાના તેજના નિધાન સમાન બે ચરુ સાધ્યા. એ વખતે રેણુકા દીર્ધદષ્ટિથી વિચારવા લાગી કે ‘મારો પુત્ર પણ મારી જેમ વનમાં રહેનારો, હરિણાદિ જેવો ન થાઓ’ આમ વિચારીને ક્ષાત્રતેજ કરનાર ચરુ પોતે ગ્રહણ કર્યો પ૨-પ૩.
બીજો પોતાની બહેનને આપ્યો. તેથી કુળમાં વિલક્ષણ એવા બંનેને પુત્ર થયા. રેણુકાનો પુત્ર રામ નામનો થયો અને તેની બહેનને કૃતવીર્ય નામનો પુત્ર થયો. ૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org