________________
૧૬૪
ततः स तापसः क्रुद्धः खगौ धृत्वा करेण तौ । उवाच मयि किं पाप-मीदृगाजन्मसुव्रते ॥ ४१ ॥ ऊचतुस्तौ खगौ पापं पापर्षे किमतः परं । अनुत्पादितपुत्रेण यत्त्वया चर्यते तपः ॥ ४२ ॥ ततो भ्रष्टमनाः सोऽभू-त्स्त्रीपाणिग्रहणोत्सुकः । मिथ्यादृशां हि वैराग्यं कुलटाचित्तचंचलं ॥ ४३ ॥ अखिद्यत सुरो धन्वं तरिस्तं वीक्ष्य तादृशं । किमैभिस्तापसैर्मूढै-रित्यभूदयमार्हतः ॥ ४४ ॥ भूरिकन्यं ययाचेऽसौ जितशत्रुमृषिर्नृपं । त्वामिच्छंतीं ददामीति सोऽवादीच्छापभीरुकः ।। ४५ ।। क्षामं भिक्षाचरं वीक्ष्य निखिलाः कृतथूत्कृतीः । कुब्जीचक्रेऽसकौ शापा - देकोनं कन्यकाशतं ॥ ४६ ॥ रेणुक्रीडापरां लघ्वीं रेणुकानामकन्यकां ।
फलैः प्रलोभ्य मामेषा वृणोतीत्यवदन्नृपं ॥ ४७ ॥
એવા સોગન ખાઓ.’ ૪૦,
આ પ્રમાણે સાંભળીને તે તાપસ ક્રોધાયમાન થયો અને બંને પક્ષીને હાથવડે પકડી કહ્યું કે. ‘જન્મથી માંડીને વ્રતધારી એવા મારામાં શું એવું પાપ છે કે ચકલીએ એ પાપ લેવાનું કહ્યું ?’ ૪૧. એટલે તે બંને પક્ષી બોલ્યા કે -- હે પાપર્ષિ ! આથી વધારે પાપ ક્યું છે, કે તમે પુત્રોત્પત્તિ કર્યા સિવાય તપ તપો છો ?’ ૪૨.
કાલલોક-સર્ગ ૩૩
આ પ્રમાણે પક્ષીઓના વચનો સાંભળી તાપસનું મન ચલિત થયું અને તે કોઈ પણ સ્ત્રી સાથે પાણિગ્રહણ કરવા માટે ઉત્સુક થયા, કારણ કે મિથ્યાત્વીને વૈરાગ્ય કુલટાના ચિત્ત જેવો ચંચળ હોય છે. ૪૩.
જમદગ્નિની આ પ્રમાણે સ્થિતિ જોઈને ધન્વંતરી દેવ ખેદ પામ્યો અને વિચાર્યું કે -“આ મૂઢ એવા તાપસોથી શું અર્થાત્ એઓમાં વાસ્તવિક ધર્મ જણાતો નથી' આમ વિચારીને તે શ્રાવક થયો. (પછી બંને દેવ સ્વર્ગે ગયા ). ૪૪.
અહીં જમદગ્નિએ ઘણી કન્યાવાળા જિતશત્રુ રાજા પાસે જઈને એક કન્યાની માગણી કરી એટલે તેના શાપથી ભય પામતા રાજાએ કહ્યું કે - જે કન્યા તમને ઇચ્છશે તે આપીશ.’ ૪૫.
Jain Education International
પરંતુ આ દુર્બળ ભિક્ષાચરને જોઈને બધી કન્યાઓએ થુથુકાર કર્યો એટલે એ તાપસે નવાણું કન્યાઓને શાપવડે કુબડી કરી દીધી. ૪૬.
પછી ધૂળમાં ક્રીડા કરતી સૌથી નાની રેણુકા નામની કન્યાને ફળવડે લોભાવીને આ મને ઇચ્છે
For Private & Personal Use Only
www.jainelibrary.org