________________
૧૫૪
उत्कालिक मंगबाह्यं दशवैकालिकादिकं ।
अंगबाह्यं कालिकं य-च्चोत्तराध्ययनादिकं ।। ११०३ ॥ प्रकीर्णकानि सर्वाणि तानि ज्ञेयानि धीधनैः । प्रत्येकबुद्धैरन्यैर्वा रचितानि महात्मभिः ।। ११०४ ॥
अत्र च मतत्रयं - श्रीऋषभादिजिनानां चतुरशीतिसहस्रादिप्रमाणैः स्वस्वशिष्यै रचितानि तावत्संख्याकान्येव प्रकीर्णकानीति केचित् । ऋषभादिजिनानां स्वस्वतीर्थभाविभिश्चुर्विधबुद्ध्युपेतैरपरिमितैः साधुभिर्विरचितानि अपरिमितान्येव प्रकीर्णकानीत्यन्ये, ऋषभादिजिनानां स्वस्वतीर्थभाविभिरपरिमितैः प्रत्येकबुद्धैर्विरचितानि अपरिमितान्येव प्रकीर्णकानीत्यपरे, इत्याद्यर्थतो नंदीसूत्रवृत्तितोऽवसेयं गच्छाचारवृत्तिर्वा विलोकनीयेति. पट्टाधिपानसंख्येयान् यावत् श्रीवृषभप्रभोः ।
अविच्छिन्ना गतिर्मोक्षे प्रावर्त्तत महात्मनां ।। ११०५ ।। तानष्टौ चतुरो यावत् क्रमात् श्रीनेमिपार्श्वयोः ।
त्रीन् वीरस्य परेषां तु संख्येयान्निखिलार्हतां ॥ ११०६ ॥ अंतर्मूहूर्तेऽतिक्रांते श्रीनाभेयस्य केवलात् ।
प्रावर्त्तत गतिर्मोक्षे नेमेर्वर्षद्वये गते ।। ११०७ ॥
કાલલોક-સર્ગ ૩૨
ઉત્કાલિક અંગબાહ્ય, દશવૈકાલિકાદિ જાણવા અને અંગબાહ્ય કાલિક ઉત્તરાધ્યયનાદિ જાણવા. ૧૧૦૩.
સર્વ પ્રકીર્ણકો બુદ્ધિમાનોએ તે પ્રકારના જાણવા કે જે પ્રત્યેકબુદ્ધોએ અથવા અન્ય મહાત્માઓએ જ રચેલા હોય. ૧૧૦૪.
અહીં ત્રણ મત છે તે આ પ્રમાણે-શ્રીૠષભાદિ તીર્થંકરોના ૮૪૦૦૦ વિગેરે પ્રમાણવાળા પોતપોતાના શિષ્યરૂપ મુનિઓએ જે રચેલા, તેટલા જ પ્રકીર્ણકો જાણવા, એમ કેટલાક કહે છે. કેટલાક કહે છે કે ૠષભાદિ જિનોના સ્વસ્વતીર્થભાવી ચતુર્વિધ બુદ્ધિયુક્ત અપરિમિત સાધુઓએ રચેલા અપરિમિત જ પ્રકીર્ણકો જાણવા. વળી બીજા એમ કહે છે કે - ઋષભાદિ જિનોના સ્વસ્વતીર્થભાવી અપરિમિત પ્રત્યેકબુદ્ધોએ રચેલા અપરિમિત જ પ્રકીર્ણકો જાણવા. ઇત્યાદિ અર્થથી શ્રીનંદીસૂત્રવૃત્તિથી જાણવું. અથવા ગચ્છાચારની વૃત્તિ જોવી.
શ્રીૠષભપ્રભુના અસંખ્યાતા પટ્ટાધિપ એવા મહાત્માઓની અવિચ્છિન્નપણે મોક્ષગતિ જાણવી. ૧૧૦૫.
શ્રી નેમિનાથના આઠ પાટ સુધી અને પાર્શ્વનાથના ચાર પાટ સુધી મોક્ષે ગયેલ જાણવા. શ્રીવીરપ્રભુના ત્રણ પાટ સુધી જાણવા. બાકીના સર્વ તીર્થંકરોના સંખ્યાતા પાટ સુધી મોક્ષે ગયેલ
જાણવા. ૧૧૦૬.
શ્રી ઋષભદેવસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારપછી એક અંતર્મુહૂર્વે મોક્ષમાર્ગ શરૂ થયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org