________________
સર્વ તીર્થંકરોનાં સમગ્ર પરિવારની સંખ્યા
एकोनविंशतिर्लक्षाः षडशीतिः सहस्रकाः ।
एकपंचाशदधिकाः सामान्यमुनयोऽखिलाः ।। १०९६ ॥
तथोक्तं-गणहर १ केवलि २ मण ३ ओहि ४ पुव्वि ५ वेउव्वि ६ वाइ ७ मुणिसंखं मुणिसंखाए सोहिय नेया सामन्नमुणिसंखा ।। १०९७ ॥ द्वाविंशतिः सहस्राणि तथा नव शतानि च । वृषभस्यानुत्तरौपपातिका मुनयो मताः ।। १०९८ ॥ श्रीनेमिपार्श्ववीराणां षोडश द्वादशाष्ट च । क्रमाच्छतास्ते शेषाणां न ज्ञायंतेऽधुनार्हतां ॥ १०९९ ॥ येषां जिनानां यावंतः शिष्यास्तै रचितानि च । प्रकीर्णकानि तावंति तेषामित्युदितं श्रुते ।। ११०० ॥ तावंत एव प्रत्येक-बुद्धा अपि निरूपिताः । प्रकीर्णकानां ब्रूमोऽथ स्वरूपं किंचिदागमात् ॥ ११०१ ॥ अर्हदुक्तानुसारेण श्रमणा यन्महाधियः ।
रचयंतीह तत्सर्वं शास्त्रं ज्ञेयं प्रकीर्णकं ॥ ११०२ ।।
૧૫૩
લેવી. ૧૦૯૪-૧૦૯૫.
આ પ્રમાણે સામાન્ય મુનિઓની સંખ્યા ૧૯ લાખ છાશી હજાર અને એકાવનની થાય
છે. ૧૦૯૬.
તે વિષે કહ્યું છે કે-ગણધર, કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, વૈક્રિયલબ્ધિવાળા અને વાદિઓરુપ વિશિષ્ટ મુનિઓની (આઠ લાખ એકસઠ હજાર નવ સો ને ૪૯ ની) સંખ્યાને કુલ મુનિ સંખ્યામાંથી બાદ કરતાં સામાન્ય મુનિઓની સંખ્યા બંને મળીને ૨૮૪૮૦૦૦ થાય છે. ૧૦૯૩.
શ્રી વૃષભદેવના અનુત્તરોપપાતિક મુનિઓની સંખ્યા ૨૨૯૦૦ ની કહી છે. ૧૦૯૮.
શ્રી નેમિ, પાર્શ્વ અને વીરપ્રભુની અનુક્રમે ૧૬૦૦, ૧૨૦૦ ને ૮૦૦ ની સંખ્યા કહી છે. બાકીના ૨૦ પ્રભુની અનુત્તરોપપાતિકની સંખ્યા ખ્યાલમાં નથી. ૧૦૯૯,૬
જે પ્રભુના જેટલા શિષ્યો હોય, તેમના રચેલા તેટલા પ્રકીર્ણકો હોય એમ શ્રુતમાં કહ્યું છે. ૧૧૦૦.
પ્રત્યેકબુદ્ધ પણ તેટલા જ કહ્યા છે. પ્રકીર્ણકોનું સ્વરૂપ આગમાધારે કાંઈક કહીએ છીએ. ૧૧૦૧.
અરિહંતના કથન અનુસારે મહાબુદ્ધિમાન શ્રમણો જે શાસ્ત્ર રચે છે, તે અહીં પ્રકીર્ણક
જાણવા. ૧૧૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org