________________
૧૩૨
કાલલોક-સર્ગ ૩ર.
વૃદ: પિતૃવ્યપુત્રી હસિતઃ સુપિતો પૃ गां शृंगयोर्गृहीत्वा द्राग् नभस्यभ्रमयद्रुषा ॥ ९४८ ॥ निदानं कृतवांश्चैवं भूयासं तपसामुना । भूयिष्ठवीर्यो मृत्वा च महाशुक्रेऽभवत्सुरः ॥ ९४९ ॥ वासुदेवस्त्रिपृष्ठाख्यो-ऽजायताष्टादशे भवे । बाल्येऽप्यदारयत्सिंह यः स्थाम्ना जीर्णवस्त्रवत् ॥ ९५० ॥ नरके सप्तमेऽथैको-नविंशतितमे भवे । सिंहोंऽभूद्विंशतितमे चतुर्थे नरके गतः ॥ ९५१ ॥ निर्गत्य नरकात्तुर्यात् स बभ्राम भवान् बहून् । द्वाविंशेऽथ भवे नृत्वं प्राप्य पुण्यान्युपार्जयत् ॥ ९५२ ।। भवे ततस्त्रयोविंशे प्रियमित्राभिधोऽभवत् । चक्रभृत्स च चारित्रं धृत्वा शुक्रेऽभवत्सुरः ॥ ९५३ ॥ ततच्युत्वेह भरत-क्षेत्रेऽहिच्छत्रिकापुरे । जितशत्रुमहीपाल-भद्रादेव्योः सुतोऽभवत् ॥ ९५४ ॥
અથડાવાથી મુનિ પડી ગયા. ૯૪૭.
ત્યાં કાકાનાં દિકરા ભાઈના હસવાથી ક્રોધ પામીને ગાયને શીંગડાથી પકડીને આકાશમાં ભમાડી અને નિયાણું કર્યું કે - “મારા આ ઘણા તપના પ્રભાવથી હું ઘણી શક્તિવાળો થાઉં.' સત્તરમ ભવે મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં દેવ થયા. ૯૪૮-૯૪૯.
અઢારમે ભવે ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયા. બાલ્યાવસ્થામાં જ તેણે સિંહને પોતાના બળવડે જીર્ણ વસ્ત્રની જેમ ફાડી નાખ્યો. ૯૫૦.
ઓગણીશમે ભવે સાતમી નરકમાં નારકી થયા. વીશમે ભવે સિંહ થયા. એકવીશમા ભવે ચોથી નરકે નારકી થયા. ૯૫૧.
ચોથી નરકમાંથી નીકળીને તે (ત્રીજી વાર) ઘણા ભવમાં ભમ્યા. બાવીશમા ભવે મનુષ્યપણું પામીને પુણ્ય ઉપાર્જન કર્યું. ૯૫૨.
૨૩ મે ભવે પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયા. તે ચક્રી ચારિત્ર લઈને ૨૪ મે ભવે મહાશુક્ર (૭ મા) દેવલોકમાં દેવ થયા. ૯૫૩.
ત્યાંથી આવીને ૨૫ મે ભવે આ ભરતક્ષેત્રમાં અહિછત્રિકા નગરીમાં જિતુશત્રુ રાજા અને ભદ્રાદેવીના પુત્ર થયા. ૯૫૪.
ત્યાં તેનું નંદન નામ પાડયું, તેમનું ૨૫ લાખ વર્ષનું આયુષ્ય હતું. એક લાખ વર્ષ બાકી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org