SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યલોકની આવી ભયંકર દુર્ગધ આદિ હોવા છતાં પણ ક્યા કારણે તેઓ મનુષ્યલેકમાં આવે છે તે પણ દષ્ટાંત પૂર્વક જણાવેલ છે. હવે આ દેવે નીચે નરકમાં પણ કયાં સુધી તથા કયા કારણે જાય છે તે પશુ બનેલા દષ્ટાંત પૂર્વક જણાવેલ છે. ત્યારપછી આ દેવના અવધિજ્ઞાનને વિષય દરેક પ્રતરના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય કૃત્રિમ વેકિય શરીરનું પ્રમાણ તથા તે દેવોની ગતિ–આગતિ જણાવેલ છે. અહિ બને દેવલોકમાં દેવીઓ કેવી હોય? તેમની સ્થિતિ, તેમનું ઐશ્ચર્ય તથા કેટલા આયુષ્યવાળી દેવી ક્યા દેવલોકના દેવને ભાગ્ય હોય તે વિસ્તારથી વર્ણન કરેલ છે. બધા દેવલેના દેવ અમુક કર્મશાને કેટલા વર્ષે ખપાવે છે તે વિગતવાર જણાવેલ છે. હવે આ દેવોને સુખ તે ખૂબ હોય છે તે બતાવ્યું પણ તેઓને દુઃખ શાક પણ હોય છે, થાય છે, તે છત પૂર્વક બતાવીને તેમને નિદ્રાને ઉદય કેવી રીતે હોય તે કર્મગ્રન્થના વિષય દ્વારા જણાવેલ છે. સમ્યક્ દષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ દેવોના મનના પરિણામો કેવા પ્રકારના થાય છે તે જણાવીને સમ્યક્દષ્ટિ દેવો પરમાત્મ ભક્તિમાં કેવા ઓત-પ્રોત થાય છે–તે બતાવેલ છે. તથા તેઓ સાધુ મહાત્માની ભક્તિ-ઔચિત્ય-વંદનાદિ કેવી રીતે કરે છે તે જણાવેલ છે. આ વર્ણન થતાં વચ્ચે ધર્મ કરીને સદ્ગતિ ગામી બને છે એ વાત આવતાં દેવને તે અધમ સ્થિત કહ્યા છે તે આગળ વાક્ય કેમ ઘટે ? એ પ્રશ્ન ઉભું થતાં ભગવતી સૂત્રના આધારે આ પ્રશ્નને સ્પષ્ટ ખુલાસો કરીને દેવો કેવી રીતે અધર્મસ્થિત છે તે જણાવી દીધું છે. આ રીતે દેવલોક, દેવ વિમાન, તે વિમાનના સ્વામી દેવનું સર્વ વિશેષથી વર્ણન કરીને હવે સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રનું સ્વરૂપ બતાવ્યું છે. તેમાં પ્રથમ વર્તમાનના કેન્દ્રના પૂર્વ ભવન વૃત્તાંત કલ્પવૃત્તિ તથા ભગવતી સૂત્રના અભિપ્રાય પૂર્વક બતાવેલ છે. ત્યાર પછી એ ઈન્દ્ર મહારાજાની ત્રણ પર્ષદા, તેની સંખ્યા તથા સ્વભાવ આદિનું વર્ણન છે. ઈન્દ્રના સામાનિક દેવે ત્રાયન્નિશ દેવેનું વર્ણન છે તેમાં વર્તમાનના ત્રાયશિ દેવેના પૂર્વભવને વૃત્તાંત જણાવેલ છે. ઈન્દ્ર મહારાજાના આત્મરક્ષક દેવ તથા સાત સૈન્ય તેના નામ તથા સંખ્યાનું વિશેષ વર્ણન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy