SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર પછી સેનાપતિઓની કછાઓ તથા વાહનરૂપ વિમાનના અધિકારી પાલક દેવનું વર્ણન છે. ઈન્દ્ર મહારાજાની પર્ષદા દ્વારા કાર્ય કરવાની પદ્ધતિનું વર્ણન કરીને તેમની શક્તિનું વર્ણન કરતાં અમોઘ શક્તિવાળ વાની વિગત જણાવી છે. આ અવસરે અમરેન્દ્રના ઉપપાતના પ્રસંગને યાદ કરીને ચમરેન્દ્ર પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના ચરણમાં આવ્યા એ વિશેષથી વર્ણન છે. અહી પ્રશ્ન થયે છે કે પરમાત્માના શરણે આવેલા અમરેન્દ્રને હણવા આવતા વજને શક્રેન્દ્ર પરમાત્માથી ચાર આંગળ દૂરથી જ સંહરી લીધું તે કેમ બન્યું તેનું વિશ્લેષણ પ્રશ્નોત્તરી પૂર્વક કરેલ છે. વૈમાનિક દેવ અને ભવનપતિ દેવો સાથે ભવપ્રત્યયથી કયારેક યુદ્ધ વગેરે પણ થાય છે તે વખતે શસ્ત્ર (આયુધ) તરીકે શું હોય છે તે જણાવેલ છે. આ ઈન્દ્ર મહારાજાની વિમુર્વણુ શક્તિનું માન બતાવીને તેમના પરિવારના દેવની શક્તિને સાથે લેતા કેટલા રૂપિ કરી શકે તે હકીક્ત વિસ્તૃતથી જણાવેલ છે. ઈન્દ્ર મહારાજાની આઠ અગ્રમહિષીઓનાં નામ તથા તેમના પૂર્વભવના નામો માતા-પિતા તથા નગરીનું ટુંકથી વર્ણન છે. તે મહિષીઓ ૧૬૦૦૦-૧૬૦૦૦ પરિવાર દેવીઓને વિકુ છે અને ઈદ્ર મહારાજા તેમની સાથે અનેક પ્રકારના સુખોને ભેગવે છે તેનું વર્ણન કરેલ છે. આ ઈન્દ્ર મહારાજાને ચાર લેકપાલો છે. તેમાં પ્રથમ સોમ મહારાજાનો પરિવાર, અગ્રમહિષીઓ તેમનાથી વિમુર્વિત દેવીઓ તથા તેમનું કાર્ય તેમના આજ્ઞાવતી દેવો વિગેરેનું વર્ણન છે. તેવી જ રીતે ચમ-વરુણ તથા કુબેર મહારાજાનું પણ વિસ્તૃત વર્ણન છે. ત્યાર પછી વચ્ચે-વચ્ચે ઈન્દ્ર મહારાજા અવધિજ્ઞાનથી જંબૂદ્વીપને જુએ છે ત્યારે જંબુદ્વીપમાં ચતુર્વિધ સંઘમાં થતા શુભ કાર્યોની દેવસભામાં પ્રશંસા કરે છે. તે ઈન્દ્રના જુદા-જુદા વિશેષણો તેમના દ્વારા થયેલા શુભ કાર્યોના આધારે કહ્યા છે. આ ઈન્દ્ર મહારાજાએ ભગવાનને અવગ્રહ બાબત પૂછયું ત્યારે ભગવાને જે અવગ્રહ બતાવ્યા અને તેમાં ઈન્દ્ર મહારાજાએ પોતાની અવગ્રહની જે છૂટ આપી તે સર્વ હકીક્ત જણાવી છે. એ રીતે આ ઈન્દ્ર મહારાજાને એકાવતારી જણાવીને એમના સંબંધી વર્ણન પૂર્ણ થયેલ છે. - ત્યાર પછી બીજા ઈન્દ્ર, ઈશાનેન્દ્રનું વર્ણન છે. તેમાં પ્રથમના ઈન્દ્રની જેમ ઈન્દ્રક વિમાનોનું વિવરણ કરીને પછી આ ઈશાનેન્દ્ર જે પૂર્વભવમાં તામલિ રાજા હતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy