SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ તેમાં પણ વિશેષતાએ દ્રવ્યાનુગ અને ગણિતાનુયોગનું અતિ સૂક્ષમતાથી દર્શન કરાવીને “લોક પ્રકાશ” નામની સાર્થકતા કરી આપી છે. લકનું નિરૂપણ કરવા દ્વારા લેકમાં રહેલા પદાર્થો તરફ પ્રકાશ પાડતા આ મહાન ગ્રંથને આ ત્રીજો ભાગ છે. જેમાં સગ ૨૧ થી ૨૭ સુધી તિવ્હલેકના લવણ સમુદ્રથી સ્વયંભૂરમણ સમુદ્ર એટલે તિર્થો લેકના અન્ત સુધી અને ઉધ્ધ–સિદ્ધશીલા સુધીના વર્ણનનો સમાવેશ છે. સર્ગ એકવીસમી સગ એકવીશને પ્રારંભમાં વિનય અને નમ્રતા પૂર્વક ઉપકારી ગુરૂદેવ શ્રી કીર્તિ વિજ્યજી મહારાજને યાદ કરીને લવણ સમુદ્રના વર્ણનને પ્રારંભ કર્યો છે. સમુદ્રમાં આવતી વેલા, (ભરતી) જે જંબુદ્વીપ તથા ઘાતકી ખડ તરફ વધે છે. તે વધીને અંદર ન આવી જાય તે માટે વેલંધર સંજ્ઞાવાળા ૧,૭૪,૦૦૦ નાગકુમાર દેવતાઓ અટકાવે છે, તે દેવે જુદી જુદી સંખ્યા તથા કાર્ય જણાવવામાં આવેલ છે. આ સ્થાને બે શ્લોકમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે કે આ વેલા માત્ર દેના બળથી અટકતી નથી પણ સાથે-સાથે સંઘ-અરિહંતદેવ આદિને પુણ્યથી તથા જગત સ્વભાવથી મર્યાદા મૂકતી નથી. જે વેલાને અટકાવવા દેવો છે તેમના આવાસ-ગોસ્તૃપ-ઉદકભાસ-શંખ તથા દકસીમા નામના સાર્થક ગુણવાળા ચાર પર્વત છે. તે દેવોના વૈભવના વર્ણનની સાથે એમની વિદિશામાં રહેલા અનુલંધર પર્વત તથા તેના દેવોના આવાસનું વર્ણન છે. આ દેવોની રાજધાની તથા પર્વતે કઈ ધાતુથી બનેલા છે તે તથા એ પર્વતને મૂળમધ્ય તથા ઉપરના વિસ્તારનું વિસ્તૃત રીતે નિરૂપણ કર્યું છે. વેલંધર પર્વતના વર્ણન પછી ગૌતમદ્વીપ તેનું સ્થાન, તથા તેની લંબાઈ–પહેલાઈઊંચાઈનું જનમાં વર્ણન છે. આ દ્વીપની અંદર વનખંડ, પવેદિકા, ભૂમિ ઉપર ભવન, મણિપીઠિકા તથા તેના અધિષ્ઠાયક દેવના પરિવારની સંખ્યા જણાવ્યા પછી લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવની રાજધાનીનું વર્ણન કર્યું છે. તે પછી સૂર્યદ્વીપ અને ચંદ્રદ્વીપ, તેના અધિષ્ઠાયક દેવો-તે દ્વીપના સ્થાન–પ્રમાણ-સ્વરૂપ–પાણીથી ઉંચાઇ--પ્રાસાદ તથા તે દેવોને આયુષ્યનું વર્ણન કર્યું છે. ત્યાર પછી સમુદ્રના અન્તર્વતી સર્વ દ્વીપોની સંખ્યા જણાવીને સૂર્ય—ચન્દ્ર તથા ગ્રહ-નક્ષત્ર-તારાનું જંબુદ્વીપમાં વિવરણ કેવી રીતે કેટલી સંખ્યામાં, તેનો પરિવાર વગેરે સામાન્યથી બતાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy