SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬,૦૦૦ જન ઉંચી શિખા-સૂર્ય—ચન્દ્રના વિમાનોને આઘાત રૂપ કેમ ન બને? તેનું સમાધાન આપીને અન્ય જાતિક વિમાનોની રચના કયા રત્નથી થઈ છે તે જણાવીને કયા સમુદ્રમાં મત્સ્ય-મગરમચ્છ આદિની સંભાવના તથા તે કેટલા માનવાળા હોય તે બતાવીને મનાં કુલ કેટીની સંખ્યા બતાવી છે. છેલ્લે ૧૦ ક વડે લવણ સમુદ્રનું ખૂબ જ કાવ્યાત્મક રૂપે ઉપમાઓ આપીને વર્ણન કરીને સર્ગની સમાપ્તિ કરી છે. સગ બાવીસમો: લવણ સમુદ્ર પછી ધાતકીખંડ દ્વીપનું વર્ણન કરતા પ્રથમ “ધાતકી” નામની સાર્થકતાનું નિરૂપણ કરીને વિજય આદિ ચાર દ્વાર, તેમના દેવો તથા રાજધાનીની વિગત ટૂંકમાં જ કહીને તેમનું પરસ્પર અંતર એજનમાં બતાવેલ છે. ત્યારપછી ઈષકાર પર્વત તથા તે પર્વતની ઊંચાઈ પહોળાઈ તથા લંબાઈનું માપ બતાવેલ છે. ' તે પર્વત ઉપરનાં શિખરો તથા તેમાં રહેલ જે ચૈત્ય છે તેનું સંખ્યા માત્રથી નિદર્શન કરેલ છે. આ દ્વીપના ઈષકાર પર્વતના કારણે બે ભાગ પડે છે અને તે રીતે ત્યાંના ક્ષેત્રો તથા પર્વતે (કે જેમના નામ તે જબૂદ્વીપના ક્ષેત્રે પ્રમાણે જ છે.) ની વ્યવસ્થા કયા કમે કયાં આર્વે તે તથા વર્ષધર પર્વતોથી વ્યાપ્ત ક્ષેત્રનું જન માન બતાવેલ છે. તેવી જ રીતે ક્ષેત્રેના મુખનો તથા અંતને વિસ્તાર તથા દરેક ક્ષેત્ર એક બીજાથી કેટલા પ્રમાણમાં છે તથા મુખ વિસ્તાર, મધ્ય વિસ્તાર તથા અન્ય વિસ્તાર કેવી રીતે કાઢવું તે સર્વ ગણિત જણાવીને એને આકાર કે થાય છે તે પણ બતાવેલ છે. આ દ્વીપને ભરતક્ષેત્રને વિસ્તાર તથા વૈતાઢયનો વિસ્તાર આદિ જણાવીને પછી દ્રિવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના બધા જ પર્યાને જંબુદ્વીપના ક્ષેત્ર પ્રમાણે બતાવેલ છે. ત્યાર પછી હિમવાન પર્વત તથા તેના ઉપર રહેલ પદ્મદ્રહનું માન જણાવ્યા બાદ આ દ્વીપમાં રહેલા દ્રહો, નદીના કુંડા, કમળના વલ વગેરે માટે જંબૂઢીપના માનથી દ્વિગુણ કરવાનું બતાવીને આ વિષય સંક્ષેપમાં પૂર્ણ કરેલ છે. ત્યારપછી ગંગ–સિધુ આદિ બધી જ નદીઓની લંબાઈ – પહોળાઈ – ઉંડાઈ વગેરે જન માનથી આપેલ છે. આટલી નદીઓની સંક્ષેપથી વિગત જણાવીને પછી કઈ નદીનું, કયા પ્રહમાંથી ઉગમ થાય છે. અને કઈ દિશા તરફ વહીને કયા સમુદ્રમાં પ્રવેશ કરે છે તેનું વિસ્તારથી નિરૂપણ છે. ત્યાર બાદ મહા હિમવાન પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, નિષધ પર્વત, શીતોદા નદી, સીતા નદી, નીલવંત પર્વત, રમ્યફ ક્ષેત્ર, રૂકમી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્વત તથા અરવત ક્ષેત્રના વિસ્તાર તથા તેઓનાં સ્થાનનું ટૂંકથી વર્ણન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy