SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - ભાષાંતરની કહાની - સરોવરના કિનારે ઉભેલા માણસે એક કાંકરી સરોવરની વચ્ચે નાખી, કાંકરી પડતા જ એમાં નાનાથી મોટા-અતિમોટા-વિશાળ વર્તુલે બનતા જાય છે. અને અંતે એ વર્તુલે કિનારેને સ્પર્શીને પૂર્ણ થઈ જાય છે, એવી જ રીતે પરમ ઉપકારી, દેવાધિદેવ, તીર્થંકર પરમાત્મા તીર્થની રથ પના કરતાં ગણધર ભગવંતોને ત્રિપદી આપે છે. ત્રણ પદ એ પુનિત આત્માઓનાં અંતઃસ્થલને સ્પર્શીને ક્રમશઃ વિશાળ એવા ત રૂપે પ્રકાશિત થઈને જગતમાં વિસ્તરી જાય છે. એ પૂજ્યની તત્ત્વ વાણીને અનેક મહાપુરૂષે આત્મસ્થ કરીને અનેક જીવો ઉપર દેશના દ્વારા ઉપકાર કરે છે. અને જ્યારે કાળના પ્રભાવે મેઘાશક્તિ અપ થતી જાય છે, ત્યારે શાસન જેમના રગેરગમાં પ્રસરી ગયું છે. એવા પ્રભાવક આચાર્ય ભગવંત એ તને ગ્રંથસ્થ કરે છે. ગ્રંથસ્થ થયેલા તને બાળજી સુધી પહોંચાડવા માટે અનેક મહાપુરુષ નજીકના સમયમાં થઈ ગયાં છે, તેમાં પરમ પૂજ્ય મહાવિદ્વાન ઉપાધ્યાયજી મહારાજ શ્રી કીતિવિજયજી મહારાજના શિષ્યરત્ન પ્રકાંડ વિદ્વાન વિનયી, અને આગમજ્ઞ ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ થયાં છે. આ મહાપુરુષે બધા આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરીને તેના નીચોડરૂપે જૈનશાસનમાં વિશાળ પદાર્થોને દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપ ચાર ભાગમાં વહેંચીને શકય બધું જ સમાવી દેવાને સફળ પ્રયાસ કર્યો છે. અને તેનું જ ફળ એટલે જ આ લોકપ્રકાશ ગ્રંથ સંયમ આરાધનાનાં શરૂઆતનાં જ વર્ષોમાં પૂજ્યપાદ, કરૂણાનિધિ, પરમ ગુરૂદેવ, પંન્યાસ પ્રવરશ્રી ભદ્રકર વિજ્યજી મહારાજની કૃપાદૃષ્ટિથી સંયમ જીવનની તાલીમ માટે પૂજ્યઉપકારી દ્રવ્યાનુ વેગનાં પ્રખર જ્ઞાતા, તપસ્વી, સંયમી, ત્યાગી, મુનિરાજશ્રી મહાભદ્ર વિજયજી મ. સાહેબ સાથે રહેવાનું થયું. એ પૂજ્યવરે મારા ઉપર શિષ્યથી સવાયો પ્રેમ આપીને, વાત્સલ્યથી નવડાવીને, સંયમની તથા જ્ઞાન ધ્યાનની અમીગંગામાં તરબોળ કર્યો. એ જ્ઞાનગંગા વચ્ચે લોકપ્રકાશ ગ્રંથને અવગાહવાનો સુઅવસર પણ મળ્યો અને ફક્ત ૧૬ વર્ષની નાની વયમાં પણ ઉંડા ગહન પદાર્થોને પૂજ્યશ્રીએ મને સમજાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો તેથી જ એ નાનપણના પડેલા સંસ્કાર આ ગ્રંથમાં વિશેષ ઉંડા ઉતરવામાં નિમિત્ત બની ગયાં. પૂજ્યપાદ કલિકાલ કલ્પતરૂ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં સેથી અધિક સાધુ ભગવંતો તથા ૧૫૦ જેટલા સાધ્વીજી ભગવંતે સાથે મારે પણ હસ્તગિરિજી મહાતીર્થમાં રહેવાનું થયું. ત્યાં અનેક મહાત્માઓ પૂજ્ય આગમજ્ઞ, વીર, આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy