SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ એ ઓલ - પરમકૃપાળુ, તીર્થંકર પરમાત્માની અસીમકૃપા દ્રષ્ટિથી તથા પૂજ્ય કલિકાલ કલ્પતરૂ, કરૂણાસાગર, ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના અંતરના આશીર્વાદથી પરમપૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનય વિજયજી મહારાજ રચિત લોકપ્રકાશ મહાગ્રંથના આ ક્ષેત્રલોક ઉત્તરાર્ધનું પ્રકાશન થઈ રહ્યું છે. 'પહેલા આ લેકપ્રકાશ ગ્રંથનાં સર્ગ ૧ થી ૨૦ તથા સર્ચ ૨૮ થી સંપૂર્ણ ગ્રંથનું ભાષાંતર અન્ય મહાનુભાવોએ કરેલ તેને પુનર્મુદ્રણ કરવાનું કાર્ય પરમ પૂજ્ય પંન્યાસશ્રી વસેન વિજયજી ગણિવર્યશ્રીએ શ્રી ભેરુલાલ કનૈયાલાલ ઠારી રીલીજીયસટ્રસ્ટ ચંદનબાળા-મુંબઈની જ્ઞાન ભક્તિથી કર્યું. બાકી રહેલા સગ ૨૧ થી ૨૭, કે જેનો અનુવાદ પૂજય પંન્યાસજી વસેનવિજયજી મહારાજ, પૂજ્યપાદું, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન, આગમજ્ઞ, આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા તથા પ્રોત્સાહનથી કર્યું. અને તે અનુવાદમાં વ્યવસ્થિત સુધારા-વધારા કરવામાં પૂજ્યપાદ્ ગચ્છાધિપતિશ્રીનાં પરમ વિનય શિષ્ય રત્ન મુનિરાજશ્રી નયવર્ધનવિજયજી મહારાજ સહા ક થયા. પૃપાદ્ ગચ્છાધિપતિશ્રીની અમારા સાયનસંઘ ઉપર અસીમ કૃપા દૃષ્ટિથી પૂજય વયેવૃદ્ધ અનુભવી, તપસ્વી મુનિરાજ શ્રી નચદશન વિજયજી મ. પૂજ્ય વિદ્વાન, વ્યાખ્યાન પ્રવીણ મુનિરાજશ્રી નયવર્ધન વિજયજી મ. તથા બાલમુનિરાજશ્રી આર્ય રક્ષિત વિજયજી મ. આદિના સંવત ૨૦૪૩ નાં ચાતુર્માસને લાભ મળે. એમાં, ઉપરક્ત પૂજ્યોએ આ મહાનગ્રંથના પ્રકાશન અંગે અમને જણાવ્યું અને અમેએ તે સ્વીકાર્યું. અમને જણાવતા આનંદ થાય છે, કે અમને સંઘના જ્ઞાન ખાતામાંથી રૂ. ૬૦,૦૦૦] સાઈઠ હજારનો આ ભાગના પ્રકાશનમાં લામ મલ્યો. હાલમાં અભ્યાસી વર્ગની જ્ઞાન પિપાષા વધતી દેખાય છે, તેમાં પ્રકાશનું વાંચન પણ વધુ થઈ રહ્યું છે. તેથી અવસરાચિત થયેલ પ્રકાશન ઉપકારક-ઉપયોગી થશે. પ્રાંતે આ જ્ઞાન ભક્તિને લાભ વારંવાર મળે તેવી શાસન દેવને પ્રાર્થના પૂર્વક આત્મ હિતકર સાહિત્યનાં વાંચન દ્વારા આત્મ કલ્યાણ કરીએ એજ અભ્યર્થના લી. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ શીવ મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy