SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ પાસે લેક પ્રકાશનું અધ્યયન કરી રહ્યાં હતાં તેમાં દ્રવ્યલેક પ્રકાશનું વાંચન તો પૂજ્યપાદશીનાં પાલીતાણુ ચાતુર્માસમાં પૂર્ણ થયેલ. અને ક્ષેત્રલોકનું વાંચન ચાલતું હતું. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રંથને એવો રસાળ બનાવ્યો છે કે જેના લેકે શ્લેકે રસ ઝરી રહ્યો હોય છે. તે રસની રસાળતા ક્ષેત્રલોકના લે કેને પણ ભીંજવી રહી હતી અને બધા મહાત્માઓ સમગ્ન બની અધ્યયન કરી રહ્યાં હતા. તેમાં વીસમાં સર્ગમાં જ્યોતિષ શાસ્ત્રનું નિરૂપણ આવ્યું. તેમાં નક્ષત્રોની રચના અંગે વર્ણન આવ્યું ત્યારે પૂજ્યશ્રીએ રાત્રે ઉપાશ્રયની બહાર આવીને મહાત્માઓને પ્રેકટીકલ રીતે તેરાઓની ગણત્રી કરીને નક્ષત્રોને ખ્યાલ આપ્યો હતે. આ સર્ગ પૂર્ણ થતાં આગળના સર્ગના ભાષાંતર કરેલા પુસ્તકોની તપાસ કરતાં મૂળ પ્રત મલી પણ પુસ્તક ન મલ્યું. આ વાતની વિગત પૂજ્યશ્રીને ખ્યાલમાં હતી તેથી તેમણે કહ્યું કે હવે સર્ગ ૨૧ થી ૨૭ નું ભાષાંતર નથી. એ અધૂરૂ રહી ગયું છે. તમે મહાત્મા એમાંથી કોઈ તૈયાર થાઓ અને આ અધુરૂ કાર્ય પુરૂ કરે, હું તમને માર્ગદર્શન આપીશ. ત્યારે લોકપ્રકાશના પાઠમાં મારા લઘુ ગુરૂ ભ્રાતા મુનિ હેમપ્રભ વિજ્યજી પણ બેરાતા હતાં, પૂજ્ય શ્રીજીએ એમની તરફ નજર કરી ત્યારે મુનિ હેમપ્રભ વિજયજીએ મારું નામ આપીને કહ્યું કે “હું પૂજ્ય મુનિરાજશ્રી વજન વિજયજી મ. સા. ને વાત કરીશ.” પાઠ પૂર્ણ થયેને મુનિ હેમપ્રભ વિ. મારી પાસે આવ્યાં અને સર્વ વાત કરી. પહેલાં તો મન થઈ ગયું કે ચાલો પ્રયાસ તો કરીએ પણ...તબિયત નરમ રહેતી અને આ ભાષાંતરનું મોટું કાર્ય એટલે મન ઢીલું પડી ગયું. પણ મુનિ હેમપ્રભાવિજયજીએ કહ્યું આપની અનુકુળતાએ જેટલા શ્લોક લખાવશે તેટલા લખતે જઈશ. ભલે સમય જાય પણ એક કાર્ય થશે–આવી લાગણી પૂર્વકની એમની વાતને સ્વીકારી અને તે જ દિવસ એટલે મહાસુદ ૫ ના દિવસે જ સર્ગ ૨૧ ના પ્રથમ પાંચ લોકનું ભાષાંતર કરીને પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજને બતાવ્યું. પૂજ્યશ્રીએ ખૂબ પ્રસન્નતા બતાવીને પ્રોત્સાહન આપ્યું, ત્યાર પછી પૂજ્ય આચાર્યદેવ શ્રી રવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને બતાવ્યું, તેઓએ પણ પ્રસન્નતા પૂર્વક પ્રેત્સાહન આપ્યું. એટલે આ કાર્યની પૂર્ણતા મંગલમય રીતે થાય, તે માટે પૂજ્યપાદ્ ગચ્છાધિપતિશ્રીને વંદન કરીને મુનિરાજશ્રી નયવર્ધન વિજયજી સાથે સર્વ વાત કરી. ત્યારે પૂજ્યપાદશ્રીએ ખૂબજ આનંદ પૂર્વક અંતરના આશીર્વાદ આપ્યાં અને કહ્યું કે કાર્ય પૂર્ણ કરે. મુનિરાજશ્રી નયવર્ધન વિજયજી પણ આ કાર્યમાં પૂરો સહગ આપશે–એ વાત થતાં અમારું આ ભાષાંતરનું કાર્ય એકદમ સહેલું થઈ ગયું, પછી તે સમયે મલતાં એ કાર્ય ચાલુ જ રહ્યું. જેમ જેમ લોકેનું ભાષાંતર થતું ગયું તેમ તેમ પૂજ્યપાદુ આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy