SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયથી વિદ્યા-સિદ્ધિ [ ૪૯ તે સૂત્ર ગ્રહણ કરવું હોય તે વિનયાદિ ગુણવાળા બનીને જ શિષ્ય ગ્રહણ કરવું. તે જ ઈચ્છિત ફળ આપનાર થાય છે. વિનયાદિ ગુણ વગર ધારેલાં ફળ મેળવી શકાતાં નથી. તે જ વાત શાસ્ત્રમાં કહેલા દુષ્ટાન્તથી સ્પષ્ટ કરતા કહે છે— ચેલૂણું રાણીને દોહલો ઉત્પન્ન થયો કે, “એક સ્તંભવાળા મહેલમાં કીડા કરું.” એટલે શ્રેણિક રાજાની આજ્ઞાથી અભયકુમાર વનમાં ગયા, વિશિષ્ટ પ્રકારના વૃક્ષને દેખી અધિવાસન અર્થાત્ વૃક્ષના અધિષ્ઠાયક દેવની આજ્ઞા મેળવવા માટે પુષ્પ, ચંદનાદિકથી પૂજા કરી કાપવાની રજા માગી. એટલે ત્યાં વાસ કરનાર વ્યંતરદેવ પ્રસન્ન થયા અને ધારણા પ્રમાણેનો સુંદર મહેલ તૈયાર કરી આપ્યો. (૨૦) ગાથાર્થ. વિશેષ હકીકત કથાથી જણાવે છે– વિનયથી વિઘા–સિદ્ધિ જેના દઢ સમ્યકત્વથી ખુશ થયેલ ઈદ્રમહારાજા વડે અતિ પ્રશંસા પામેલા શ્રેણિક નામના રાજા રાજગૃહ નગરમાં રાજ્ય કરતા હતા. સમગ્ર અંતઃપુરમાં સર્વ રાણીઓમાં મુખ્ય એવી ચેલૂણ નામની તેને વલ્લભી હતી અને ચાર બુદ્ધિયુક્ત એવા અભય નામના મંત્રી તેમ જ પુત્ર હતા. કેઈક સમયે ચહ્નણ રાણીને ગર્ભના પ્રભાવથી દોહેલો ઉત્પન્ન થયા અને રાજાને કહ્યું કે, “મારા માટે એકથંભિય મહેલ તૈયાર કરા.” દુઃખે કરીને રોકી શકાય એવી સ્ત્રીહઠથી સંતાપ પામેલા રાજાએ રાણીની વાતને સ્વીકાર કરી અભયકુમારને આજ્ઞા કરી. ત્યાર પછી તે એક સુથારને સાથે લઈ સ્તંભ માટે મહા અટવીમાં ગયે. ત્યાં તેઓએ ઘટાદાર અને ઘણી મોટી ડાળીઓવાળું વૃક્ષ જોયું. “આ વૃક્ષ કઈક દેવથી અધિષ્ઠિત હશે” એમ વિચારીને અભયકુમારે ઉપવાસ કરવા પૂર્વક વિવિધ પ્રકારનાં પુષ્પો અને ધૂપવડે વૃક્ષની અધિવાસના કરી. અભયકુમારની બુદ્ધિ અને ભક્તિથી રંજિત થયેલા વૃક્ષવાસી દેવે રાત્રે સુતેલા અભયને કહ્યું કે, “હે મહાનુભાવ ! આ વૃક્ષને છેદીશ નહિં. તું ઘરે જા. હું પુષ્પ, ફલો, અને સર્વ ઋતુઓ સાથે ભેગી થાય એવા વૃક્ષેવાળા બગીચામાં એક સ્તંભવાળો પ્રાસાદ તૈયાર કરાવી આપું છું. આ પ્રમાણે પ્રતિષેધ પામેલે અભય સુથાર સાથે પોતાના ઘરે ગયો, દેવે પણ આરામ સહિત તે મહેલ બનાવ્યું. ત્યાં દેવીની સાથે વિચિત્ર કીડા કરતા અને રતિસાગરમાં ડૂબેલા રાજાના દિવસો આનંદમાં પસાર થતા હતા. - હવે તે નગરમાં નિવાસ કરનાર ચંડાલના મુખીની પત્નીને ગર્ભના કારણે આમ્રફલ ખાવાને દેહલો થયો. દોડલ પૂર્ણ ન થવાથી દરરોજ તેનાં સર્વ અંગો દુલ થવા લાગ્યાં. પત્નીને તેવા પ્રકારની દુર્બલ થયેલી દેખીને પતિએ પૂછયું કે, “હે પ્રિયે! તને મનમાં શું ચિંતા છે?” “પાકેલ આમ્રફલ ખાવાને દેહલે થયો છે”—એમ જણાવ્યું. ત્યારે ચંડાલે કહ્યું કે, “તે માટે અત્યારે અકાલ કહેવાય. જો કે અકાલ છે, તે પણ હે પ્રિયે ! કે પ્રકારે તેને મેળવી આપીશ, માટે ધીરજ રાખ. રાજાને સર્વ ઋતુનાં ફળ ઉત્પન્ન થાય તેવો બગીચો છે એમ સાંભળેલું છે. તે બગીચાની બહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy