SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ || ઉપદેશપદ- અનુવાદ ઉભા રહેલા તેણે પાકેલા આમ્રફવાળું વૃક્ષ જે યુ-એટલે રાત્રે અવનામિની વિદ્યાના પ્રભાવથી વૃક્ષ-ડાળી નમાવીને આમ્રફલ ગ્રહણ કર્યા. ફરી ઉજ્ઞામિની વિદ્યાથી શાખાને વિસર્જન કરીને હર્ષ પામેલા પતિએ પત્નીને આમ્રફલ અર્પણ કર્યા. દેહલો પૂર્ણ થવાથી તે ગર્ભને વહન કરવા લાગી. હવે એક બીજા વૃક્ષો તરફ નજર કરતા રાજાએ આગલા દિવસે દેખેલાં ફળોની લંબ આજે ખાલી દેખીને રખેવાળ પુરુષને પૂછયું કે, અરે ! અહીંથી આમ્રફળની લંબ કોણે તોડી ?” તેઓએ કહ્યું કે-“હે દેવ ! અહીં કેઈ બીજે પુરુષ આવેલ નથી, બીજું આવતા-જતા પુરુષનાં પગલાં પૃથ્વીતલમાં પણ પડેલાં દેખાતાં નથી. માટે હે દેવ ! આ પણ એક આશ્ચર્ય જણાય છે. આ • કોઈ મનુષ્ય સિવાયનું સામર્થ્ય જણાય છે.” આમાં બીજું શું કરી શકાય ? એમ વિચારીને રાજાએ અભયને કહ્યું કે-“હે પુત્ર ! આવા પ્રકારનાં કાર્ય કરનાર ચોરને જલ્દી પકડી લાવ. આજે ફળોનું હરણ કર્યું, તો આવતી કાલે સ્ત્રીનું પણ હરણ કરી જાય. ત્યાર પછી ભૂમિતલ સુધી મસ્તક નમાવીને એટલે પિતાજીને નમસ્કાર કરીને, “મહાકૃપા એમ કહીને અભયકુમાર ત્રણ માર્ગો, ચાર માર્ગો ઉપર ચોરને શોધવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. કેટલાક દિવસો પસાર થવા છતાં ચેરની માહિતી મળતી નથી, એટલે અભયકુમાર મનમાં વધારે ચિંતા કરવા લાગ્યા. દરમ્યાન નગર બહાર ઈન્દ્ર-મહોત્સવમાં નટે પિતાની કળા બતાવવા માટે ખેલ શરુ કર્યો, તેમાં નગરના ઘણા લોકો એકઠા થયા હતા. ત્યાં અભય પણ ગયા અને તેના ભાવ જાણવા માટે કહ્યું કે, “હે લોકો ! જ્યાં સુધી નટ ન આવે, ત્યાં સુધી હું એક કથાનક સંભળાવું, તે સાંભળો. લોકેએ કહ્યું કે, “હે નાથ ! ભલે કહે.” વસંતપુર નામના નગરમાં જીરું શેઠની કન્યાને દારિદ્યથી પરાભવિત થવાના કારણે પિતાએ પરણાવી ન હતી. કન્યા બહુ મોટી વયવાળી થઈ, એટલે વર મેળવવાની ઈચ્છાથી તે કામદેવની પૂજા કરવા લાગી. એક બગીચામાંથી પુપ ચેરીને જતી હતી, એટલામાં મળી આવી પહોંચ્યો અને વિકાર-બુદ્ધિથી કંઈક કહ્યું. ત્યારે કુમારીએ માળીને કહો કે, “તને બહેન, કે બેટીઓ મારા સરખી નથી કે કુંવારી કન્યાને તું આમ કહે છે. ત્યારે માળીએ કહ્યું કે, જ્યારે તારાં લગ્ન થાય એટલે પતિ પાસે જવા પહેલાં મારી પાસે આવવું” એ કબૂલાત કરે તે જ તને છેડીશ, નહીંતર નહીં છેડીશ.” એ વાત સ્વીકારીને તે પિતાના ઘરે ગઈ. કોઈક સમયે તુષ્ટ થયેલા કામદેવે શ્રેષ્ઠ મંત્રીપુત્ર વર આપે. સારા મુહૂર્ત-સમયે પાણિગ્રહણ-વિધિ થયો અને સૂર્યાસ્તસમય થયો. કાજળ અને ભમરા સરખી છાયાવાળી અંધકાર-શ્રેણી દિશામાં ફેલાવા લાગી, દિવસના ભાગમાં પ્લાન બનેલા કુમુદખંડનાં મંડલો વિકસિત થયાં અને ચંદ્રમંડલને ઉદય થયો. હવે વિચિત્ર રનમય આભૂષણથી અલંકૃત થયેલ સર્વાગવાળી તે નવોઢાએ વાસભવનમાં આવીને ભર્તારને વિનંતિ કરી કે, “આગળ માળી સાથે મેં કબૂલાત આપેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy