SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] ઉપદેશપદ-અનુવાદ एसा य असइ दोसा-सेवणओ धम्मवज्झचित्ताणं । ता धम्मे जइयव्वं, सम्म सइ धीरपुरिसेहिं ॥ १८॥ આ લાંબી કાયસ્થિતિ અનેક ભવમાં વારંવાર દે સેવન કરવાથી, તેમ જ શ્રુતચારિત્ર ધર્મથી બહાર ચિત્ત વર્તતું હોય, તેવા આત્માઓને બંધાય છે. માટે બુદ્ધિમાન પુરુષોએ સર્વ પ્રમાદનો ત્યાગ કરીને હંમેશાં ધર્મને વિશે ઉદ્યમ કરવો જોઇએ. ગાથાર્થ કહીને હવે ટીકાર્યું કહે છે– અનેક ભવમાં વારંવાર પા૫ સેવન કરવાથી ચંદ્ર-કિરણોના સમૂહ સાથે સ્પર્ધા કરનાર અથવા નિર્મલ સ્વભાવવાળા આત્માને પણ ગાઢ વેદોદય, અજ્ઞાન, ભય, મોહાદિક દોષનું મન, વચન અને કાયાથી કૃત, કારિત, અનુમતિ સહિત જે સેવન થાય અને તેનાથી રાહમંડલ જેમ ચંદ્રને મલિન કરે, તેમ પાપકર્મો નિર્મલ આત્માને પણ મલિન કરે છે, કોને ? તો કે મૃતધર્મ–ચારિત્રધર્મથી જેમનું ચિત્ત બહાર વર્તતું હોય, સ્વાવસ્થામાં પણ જેઓનું મન ધર્મમાં હેતું નથી તેવાને, આવી કહેલી કાયસ્થિતિ બંધાય છે. માટે એકાંતે એકેન્દ્રિયાદિ જાતિમાં પ્રવેશ નિવારણ કરનાર, તેમ જ ભવમાં ઉત્પન્ન થનારા અનેક દુઃખરૂપ અગ્નિને ઓલવનાર ધર્મને વિષે સર્વ પ્રમાદસ્થાનને ત્યાગ કરીને પોતાની શક્તિ અનુસાર માર્ગાનુસારી સમ્યગ પ્રવૃત્તિ કરવી જોઈએ. (૧૮) સમ્યગ્ધર્મમાં પ્રયત્ન કરે-એમ કહ્યું, એટલે સમ્યભાવને સમજાવતાં કહે છે– सम्मत्तं पुण इत्थं, सुत्ताणुसारेण जा पवित्ती उ । सुत्त-गहणम्मि तम्हा, पवत्तियव्वं इहं पढमं ॥ १९ ॥ સર્વજ્ઞ ભગવંતના આગમના અનુસાર જે ચૈત્યવંદન, આવશ્યક ક્રિયા આદિની પ્રવૃત્તિ કરવી, તે સમ્યક્ત્વ. આ માટે સૂત્ર ભણવા વિષે પ્રથમ પ્રયત્ન કરવો જરૂરી છે. ગાથાર્થ જણાવી હવે ટીકાર્યું કહે છે – પરમ પુરુષાર્થ–મોક્ષને અનુકૂલ ભાવના કલાપને સૂચવનાર, સંસારરૂપ કેદખાનામાંથી બહાર કાઢનાર એવા અંગબાહ્ય આવશ્યક. તેમ જ અંગપ્રવિણ આચારાંગાદિ શ્રત ગ્રહણ કરવામાં આંધળાને અણધારી આંખો પ્રાપ્ત થાય અને તેને જે આનંદ થાય, તેવો આનંદ શ્રત ગ્રહણ કરતી વખતે થાય. શ્રત ગ્રહણ કરવાની પ્રથમ પ્રવૃત્તિ કરવી જોઈએ. જે માટે કહેલું છે કે – “પહેલાં જ્ઞાન અને જ્ઞાન પામવાથી તેના ફળરૂપે દયા એટલે વિરતિ-સંયમ અને ઉત્તરોત્તર સર્વ સંયમ જ્ઞાનથી પામી શકાય છે. બિચારે અજ્ઞાની શું પુણ્ય અને શું પાપ ? એ કયાંથી જાણી શકશે ? શાસ્ત્ર સાંભળીને કલ્યાણ કેમ કરી શકાય કે પાપ કેમ બંધાય ? તે જાણી શકાય છે અને પુણ્ય કે પાપ એ બંને શાસ્ત્ર શ્રવણ કરવાથી જાણી શકાય છે અને એ જાણ્યા પછી જે કલ્યાણકારક હોય, તે આચરાય છે.” (૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy