SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિયાદિકની કાયસ્થિતિ [ ૪૭ असंखोसप्पिणि-सप्पिणीउ एगिदियाण उ चउण्हं । ता चेव उ अणंता, वणस्सईए उ बोद्धव्या ॥ १७ ॥ એકેન્દ્રિયાદિક-પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય એ ચારની કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ પ્રમાણ જાણવી. તેમાં સમયે સમયે અનંત ગુણ પ્રમાણ પર્યાયે વડે કરીને નિરંતર ભાવની-રૂપ, રસ, ગંધ, સ્પર્શની વૃદ્ધિ કરે, તે ઉત્સર્પિણી. તે માટે પંચક૯૫ભાષ્યમાં કહેવું છે કે,–“દ્રવ્યના વર્ણ, રસ, ગંધ, સ્પર્ધાદિ અનંતગુણ પ્રમાણ સમયે સમયે વૃદ્ધિ પામે, તે જ પ્રમાણે રાત-દિવસ પણ વધતા જ રહે, તે ઉત્સર્પિણી કાળ કહેવાય. તેથી વિપરીત અર્થાત્ વર્ણાદિકે જેમાં દરેક સમયે અનંતગુણ ઘટતા જાય, તે અવસર્પિણી કાળ કહેવાય. વનસ્પતિકાયની કાયસ્થિતિ તે અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ-પ્રમાણ જાણવી. આ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સમજવી. કહેવાનો મતલબ એ છે કે–પૃથિવી, પાણી, અગ્નિ, વાયુકાયમાં જીવ મરીને ફરી ફરી તેમાં જ ઉત્પન્ન થાય-એમ એક એક કાર્યમાં અસંખ્યાતી ઉત્સર્પિણ– અવસર્પિણી કાળ સુધી તેમાં ઉત્પન્ન થાય, મરે, ફરી તે જ કાર્યમાં ઉત્પન્ન થાય, તે રૂપ કાય-સ્થિતિ. અને વનસ્પતિકાયમાં તે તે જ પ્રમાણે અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ સુધી રહે. વનસ્પતિની કાયસ્થિતિ આ ઉત્કૃષ્ટ સમજવી. જઘન્ય તે અંતર્મુહૂર્તકાળ ઉત્સર્પિણી–અવસર્પિણીનું કાળ-પ્રમાણ કેટલું ? કહે છે-બંને એકઠા મળીને બાર આરાવાળું કાલચક બને છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું– દશ કટાકેદી સાગરોપમ પ્રમાણ કાળ પૂર્ણ થાય, તે ઉત્સર્પિણી અને તેટલે જ કાળ અવસર્પિણીને જાણો. ભરતક્ષેત્રમાં અવસર્પિણીની અંદર છ પ્રકારના નામવાળા આરાએ કહેલા છે. તેના અનુક્રમે નામવિભાગો જણાવીશ. ૧ સુષમાસુષમાકાળ, ૨ સુષમાકાળ, ૩ સુષમદુષમકાળ, ૪ દુઃષમસુષમા કાળ, ૫ દુઃષમાકાળ અને ૬ અતિદુઃષમાકાળ. આ જ છ વિભાગે ઉત્સર્પિણીકાળમાં ઉલટા કમે જાણવા. તેમાં સુષમાસુષમાં કાળ ચાર કડાકોડી સાગરોપમ પ્રમાણુ, સુષમાકાળ ત્રણ કોડાકોડી, સુષમદુષમકાળ બે કોડાકડી, દુઃષમાસુષમાને કાળ બેંતાળીશ હજાર વર્ષ ન્યૂન એક કડાકોડી સાગરોપમ પ્રમાણ, દુષમકાળ એકવીશ હજાર વર્ષ પ્રમાણ અને અતિદુઃષમાકાળ પણ તેટલા જ એકવીશ હજાર વર્ષ પ્રમાણુ સમજ. એ પ્રકારે ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને મળીને બાર આરા રૂપ કાળચક્ર, તે સમગ્ર કાળ એકઠે કરતાં વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય. તેમાં યથોત્તર કાલાનુભાવ સ્વરૂપ બીજા ગ્રન્થથી જાણી લેવું. વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યની કાયથિતિ આ ગાથા પ્રમાણે જાણવી. વિકલેન્દ્રિયની સંખ્યાતા હજાર વર્ષની અને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યની સાત-આઠભવની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૧૭) ઠીક, એકેન્દ્રિયાદિકની લાંબી કાયસ્થિતિ છે, તે પણ કયા નિમિત્તથી ? તે જણાવે. તેના સમાધાનમાં ગ્રંથકાર જણાવે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy