SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] ઉપદેશપદ-અનુવાદ અનેક સેંકડો પ્રમાણ સ્તંભવાળી મટી સભા તૈયાર કરી હતી. કેઈક કાળે અગ્નિની જવાળાથી સળગીને તે નાશ પામી. હવે એ કોઈ ઈન્દ્ર, ચંદ્ર કે ચક્રવર્તી છે કે જે, તે જ અણુ અને પરમાણુઓ એકઠા કરી ફરી દુર્ઘટ તે કાર્ય કરી શકે? જેમ તે જ અણુઓ વડે ફરી આ સભા ઘડીને તૈયાર કરવી મુશ્કેલ છે, તેમ જીવને ગૂમાવેલું મનુષ્યપણું ફરી મેળવવું દુષ્કર છે. દશ દષ્ટાંતોનો ઉપસંહાર કરતાં જણાવે છે કે, એક વખત દશે દષ્ટાન્તના ભાવ કેઈક દેવતાની સહાયથી ફરી મેળવી શકાય, પરંતુ હે સૌમ્ય! દાર્જીનિક ભાવમાં રહેલું મનુષ્યપણું ફરી ન મેળવી શકાય. આવા પ્રકારનું દુર્લભતાથી પ્રાપ્ત થનારું મનુષ્યપણું પામીને જે જીવ પરલોક્ના હિતની સાધના કરતો નથી, તે મૃત્યકાલે શેક કરનાર થાય છે. જેમ પાણીમાં-કાદવમાં ખેંચી ગયેલ હાથી, કાંટામાં ફસાયેલ મત્ય, જાળમાં પકડાયેલો મૃગ, વંટોળીયામાં સપડાયેલ પક્ષી શાચ કરે, ભય પામે તેમ મૃત્યુ અને વૃદ્ધાવસ્થા–સમયે લાચાર બની ચોથી નિદ્રામાં ધકેલાએલો અર્થાત્ મરણ–સમયે શોક કરશે. તે સમયે કર્મના ભારથી પીડા પામતે જીવ પિતાને ઓળખશે. અનેક જન્મ-મરણનાં સેંકડો ભ્રમણ કરીને જે દુઃખથી મુશ્કેલીથી આ મનુષ્યપણું મેળવે છે, તો તેવા દુર્લભ અને વિજળીના ઝબકારા સરખા ચંચળ મનુષ્યપણાને પામીને જે તેમાં વિષય, કષાય, રાગ-દ્વેષ, ધન, કુટુંબ, ઇન્દ્રિયના વિષયમાં પ્રમાદ કરી નિષ્ફળ બનાવે છે, તે કાપુરુષ કાયર-તુચ્છ છે, નહિં કે પુરુષ. (૧૫) પહેલાં અમે જે કહેલ હતું કે, “ભાવાર્થ સાર-યુક્ત ઉપદેશપદે કહીશું.” ઇત્યાદિ, તેના સંદર્ભમાં ચાલુ અધિકારમાં મનુષ્યપણાની દુર્લભતાને અંગે આગમથી પ્રમાણિત યુક્તિથી સિદ્ધ કરતાં જણાવે છે કે – થે ઘઉં વહુ, શાળા-ઘમાયોસો નેઇલ जं दीहा कायठिई, भणिया एगिदियाईणं ॥ १६ ॥ પહેલાં મનુષ્યપણાની દુર્લભતા સામાન્યથી જણાવી, તે જ વાત યુક્તિ અને પ્રમાણથી સિદ્ધ કરતાં જણાવે છે કે-સારાસારને વિવેક ન હોવાથી અજ્ઞાન દોષથી, અથવા વિષય-સેવનાદિ રૂપ પ્રમાદથી મનુષ્યપણાથી વિલક્ષણ એવી એકેન્દ્રિયાદિક જાતિમાં અરહદ-ઘટિકા યંત્રના ન્યાયથી વારંવાર જીવ ભ્રમણ કર્યા કરે છે. આ વાત કેવી રીતે માનવી? તે જણાવે છે કે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિક જીવોની વારંવાર ફરી ફરી મૃત્યુ પામીને તે જ કાયામાં ઉત્પન્ન થવા રૂપ-કાયસ્થિતિ સિદ્ધાંતમાં ઘણું લાંબી પ્રતિપાદન કરેલી છે. તે જ પૃથ્વીકાયિક, એકેન્દ્રિયાદિક પાંચ ભેદોને આશ્રીને કાયસ્થિતિ જણાવતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy