SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) દૃષ્ટાંત ચંદ્રપાન સ્વપ્ન [ ૩૯ સૌમ્ય સ્થિરતાવાળા હાય-એવા માણસ સાથેના સમાગમમાં સ્વગ છે કે, પવંતના શિખર ઉપર ? ” ઉજેણીના રાજાને દાન-માનથી વશ કરી તેની સાથે પ્રીતિ કરવા લાગ્યા. ઘણી પ્રાર્થના કરવાથી તેને દેવદત્તા સમર્પણ કરી. આખા સસ્ક્રૂડ ભટ્ટે સાંભળ્યું કે, ‘મૂલદેવને રાજ્ય મળ્યું છે,' એટલે તે જલ્દી એન્નાતટ નગરે આળ્યા. રાજાને મળ્યા. એક સારું ગામ આપ્યું અને કહ્યું કે, ‘ફી મારી નજરે ન આવે, તેમ તારે કરવું' એમ કહી રજા આપી, કાઈક સમયે ધના પાર્જન કરવા માટે ઉજેણીથી દેશાન્તરમાં ઘણા પરિવાર સહિત અચલ ગયે. ત્યાં ઘણું ધન ઉપાર્જન કરી, કરિયાણાનાં અનેક ગાડાં ભરીને દૈવયેાગે એન્નાતટ નગરે આન્યા. ત્યાં જગાત બચાવવા માટે મજિઠ વગેરે કરિયાણામાં કિંમતી પદાર્થ છૂપાવી રાખ્યા. દાણુ લેનારાઓને ખબર પડી, એટલે રાજા પાસે લઇ ગયા. ભય પામેલા નેત્રવાળા અચલને રાજાએ જોયેા અને વિચાર્યું કે, આ સા་વાહ અહિં ત્યાંથી આવી ચક્યો? આ તે આશ્ચય કહેવાય.’ (૧૦૦) 6 રાજાએ પૂછ્યું કે, ‘ મને એળખે છે ? ’ ‘શરદના પૂર્ણ ચંદ્રની ઉજ્જવલ કાંતિ સરખી જેની કીર્તિ ભુવનમાં વ્યાપેલી છે, એવા આપને કાણુ ન ઓળખે?' રાજાએ પાતાના વૃત્તાન્ત કહ્યો અને દુષ્કર સત્કાર કરીને તુષ્ટ મનથી તેને વિદાયગિરિ આપી. ત્યાર પછી અચલ ઉજેણીએ આન્યા. વર્ગને મળ્યા. મૂલદેવે જેવા પ્રકારના સત્કાર કર્યાં, તે સ કુટુબીઓને જણાવ્યું. હવે એન્નાતટ નગરમાં એક ઘણેા ચતુર ચાર દરરોજ વૈભવવાળા શ્રીમંતાના ઘરમાં ખાતર પાડતા હતા. ચતુર એવા કેટવાળા તથા રક્ષકા ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ પકડી શકાતા નથી. રાજાને નિવેદન કર્યું કે, આ ચાર દેખી શકાતા કે પકડી શકાતા નથી. નક્કી તે ચારે અદૃશ્ય થવાની વિદ્યા સાધી હશે. અથવા તેા કોઈ આકાશમાં ગમન કરનાર ખેચર કે દેવતા હશે. કાઈ પણ ક્યાંય તેને જોઈ શકતા નથી. ' ત્યાર પછી મૂલદેવ પાતે જ નીલવસ્ત્ર પહેરી પ્રચંડ કટાર હાથમાં લઈને પ્રથમ પહેરે જ તેને શેાધવા નીકળ્યા. દેવકુલેા, પાણીની પરમા, ધમશાળાએ, સૂનાં ઘરા, ઉદ્યાના વગેરે સ્થળામાં ઘણા ઉપાયેા કરી શેાધવા લાગ્યા. હવે એક મુસાફરખાનામાં રાત્રે કે જેમાં ગાઢ અંધકારમાં કઈ પણ દેખી શકાતું નથી. નજર બંધ થઈ જાય છે, જ્યારે દરેક મુસાફ્ ઊંઘી ગયા, ત્યારે કપટથી મૂલદેવ પણ સૂવા લાગ્યા. એટલામાં ત્યાં પેલે સડિક નામના ચાર આન્ગેા. ધીમેથી તેણે તેને જગાડ્યો. પેલા મ`ડિક ારે પૂછ્યું કે, હે ભદ્ર! તું કાણુ છે? પેલાએ કહ્યુ કે, ‘ અનાથ મુસાફર છું. ’ તેા મારી પાછળ આવ, જેથી તને ઇચ્છિત અર્થાંની પ્રાપ્તિ થાય. ' ‘ અહુ સારું ’–એમ કહીને રાજા તેની પાછળ ચાલ્યા. કાઈક ધનવાનના ઘરમાં ખાતર પાડયું અને ત્યાંથી બહાર નીકળ્યા, ત્યાંથી ઘણી ઘણી સારભૂત વસ્તુએ લાવી રાજાના ખભા ઉપર ઉચકવા આપી. જીણુ ઉદ્યાનની અંદર રહેલા દેવમદિર અને મઠની વચ્ચે ભેયરુ' હતું, તેમાં રાજાને લઇ ગયા. ત્યાં રાજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy