SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] ઉપદેશપદ-અનુવાદ પકડ્યો અને બાંધે. પછી રાજા પાસે લઈ ગયા. નીતિશાસ્ત્રમાં ચોરી કરનાર માટે વધને દંડ કહેલો છે–એમ સમરણ કરતાં પ્રધાને જણાવ્યું. તેને વધ કરવાની આજ્ઞા થઈ અને વધભૂમિએ લઈ જાય છે, ત્યારે આ વિચારવા લાગ્યું કે, “પહેલાની વાત શું જૂઠી પડશે?” એવામાં તેનું સજજડ પુણ્યકર્મ ઉદયમાં આવવાથી તે વખતે નગ૨માં ઉગ્ર શૂલ–વેદનાથી હેરાનગતિ ભોગવતે અપુત્રિય રાજા મૃત્યુ પામ્યા. હવે નવો રાજા મેળવવા માટે પાંચ દિવ્ય-હાથી, ઘોડો, છત્ર, ચામર-જોડી અને કળશ અધિવાસિત કર્યા. એટલે રાજ્યના અધિષ્ઠાયક દેવતાઓ તેમાં અધિષ્ઠિત થયા. તે દિવ્ય સમગ્ર નગરીમાં પરિભ્રમણ કરી રા–ચોગ્ય પુરુષને શોધતા હતા. અનુક્રમે ફરતા ફરતા ચોકમાં આવ્યાં, ત્યારે ગધેડા ઉપર સ્વાર થયેલ, સૂપડાના છત્રવાળો, સરાવલાની બનાવેલી માળા પહેરેલે, ગેરંગથી રંગાયેલ શરીરવાળો, મેશ ચોપડેલ અને મેશથી ખરડાયેલ શરીરવાળો સન્મુખ આવતે મૂલદેવ ચોર દેખાયો. એટલે હાથી ગુલગુલ શબ્દ કરવા લાગ્યા, ઘેડ હષાર કરવા લાગ્યો. ત્યાર પછી હાથીએ કળશ ગ્રહણ કરી મૂલદેવને અભિષેક કર્યો, તેમ જ તેને પિતાની ખાંધ પર બેસાડ્યો. બંને બાજુ બે ચામરો વીંજાવા લાગ્યા અને છત્ર આપોઆપ ઉપર જઈને સ્થિર થઈ ગયું. તે સમયે સમગ્ર આકાશતલ ભરાઈ જાય તેવા શબ્દો કરતાં વાજિંત્રો વાગવા લાગ્યાં. ચારણે વગેરે જય જયકાર શબ્દ બોલવા લાગ્યા. મોતી, મણિ આદિ રત્નોથી અલંકૃત ચરસ સિંહાસન ઉપર બેઠે, એટલે સામંત વગેરેએ તેને પ્રણામ કર્યા. મહારાજા બનીને પિતાના પ્રતાપથી વૈરી રાજાઓને વશ કર્યા અને તે સજજન મનુષ્યને માન આપવા લાગે. એ પ્રમાણે ઈચ્છા મુજબ રાજ્ય ભોગવવા લાગે. લોકવાયકા ચાલી કે, “આ રાજાને ચંદ્રપાન કર્યાનું સ્વપ્ન આવેલું, તેના પ્રતાપથી આવું રાજ્ય પ્રાપ્ત થયું. આ વાત પેલા મુસાફરો સાંભળી અને તે વિચારવા લાગ્યું કે, મને પણ તેવું સ્વપ્ન આવેલું, તે મને રાજ્ય કેમ ન મળ્યું? લોકેએ તેને કહ્યું કે, “સ્વમ ગુપ્ત ન રાખતાં ગમે તેવા લોકો પાસે પ્રગટ કર્યું, તેથી ન ફળ્યું. હવે જે મને બીજીવાર તેવું સ્વપ્ન આવશે, તે તેવા સ્વપ્ન પાઠક પાસે વિધિ-પૂર્વક નિવેદન કરીશ કે, જેથી મને રાજ્ય-સંપત્તિ પ્રાપ્ત થાય. દહિં, છાશ આદિ પ્રચુરતાવાળા ભેજનમાં પરાયણ બની ઈચ્છા પ્રમાણે સૂઈ રહેતો અને સ્વપ્નની ઝંખના કર્યા કરતો. લાંબા કાળ સુધી કલેશ પામ્યો. જેવી રીતે આવું ધારેલ સ્વપ્ન દુર્લભ છે, તેમ મેળવેલું મનુષ્યપણું હારી ગયા પછી પાર વગરના સંસારસમુદ્રમાં ફરી મનુષ્યપણું પામવું અતિ દુર્લભ છે. હવે અહીં ચાલુ કથાનો બાકીનો ભાગ પણ કહીએ છીએ. મૂલદેવ રાજા એક વખત વિચારવા લાગ્યું કે, “મને રાજ્ય મળ્યું, મદ ઝરતા હજાર હાથીઓ મળ્યા, પણ દેવદત્તા વગર સર્વ શૂન્ય જણાય છે. (૯૩) જે માટે કહ્યું છે કે-“હ કરીને પછી તેને અ૫લાપ કરે નહિં, વિના કારણ પ્રીતિ રાખે, સેંકડો કષ્ટો આવી પડે તો પણ મુંઝાય નહિં, ધન આવે, તે પણ લુબ્ધ ન બને અને અભિમાન ન કરે, સજન અને સરળ સ્વભાવવાળો હોય, ચંદ્ર સરખો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy