SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) દષ્ટાંત જુગાર-પાસા, (૩) ધાન્ય-મિશ્રિત સરસવ, (૪) દષ્ટાંત [ ૩૧ યૌગિક પાસાઓ વડે જુગારની રમતમાં ઈચ્છા પ્રમાણે પાસાઓ પાડીને દીનારસેનામહેનો પણ (સરત) કરીને ચાણક્ય રમતો હતો. તેવા જુગારમાં જિત મેળવવી દુર્લભ છે, તેમ બુદ્ધિશાળી પુરુષને ફરી મનુષ્યભવ-પ્રાપ્તિ દુર્લભ છે. પ્રથમ ચાણક્યની ઉત્પત્તિ જણાવવી, તે નંદ સુધીની હકીક્ત કહેવી. પાટલીપુત્ર નગરમાં મૂળ સહિત તેનું રાજ્ય ઉખેડી નાખ્યું. આ હકીકત ગ્રંથકાર પોતે જ આગળ કહેવાના છે, તેથી અહિં તેનો વિસ્તાર કરતા નથી. ચંદ્રગુપ્ત રાજ્ય પર બેઠે, ત્યારે વિચારવા લાગ્યો કે, “નંદરાજાની મોટી લક્ષમી મેળવી શકાઈ નથી, લક્ષમી વગર રાજ્ય શા કામનું ? માટે લક્ષમી મેળવવા કેઈ ઉપાય કરીશ” ત્યાર પછી યંત્રવાળા પાસા બનાવ્યા. બીજા કેઈ આચાર્ય કહે છે કે, “દેવતાના પ્રસાદથી પાસ મેળવ્યા પછી એક ઘણો દક્ષપુરુષ રાખ્યો. ચાણયે તેને કહ્યું કે, “આ સોનામહોરથી ભરેલો થાળ અને પાસા લઈને તું ત્રણ માર્ગો, ચાર માર્ગો, ચટા, શેરી વગેરે સ્થળમાં જઈને લોકોને કહેજે કે, “આ જુગારની રમતમાં મને કોઈ જિતે, તો સેનાની મહારથી ભરેલ આખો થાળ મળશે અને જે કઈ રીતે હું જિતું, તે મને એક સેનામહોર આપવી.” એ પ્રમાણે તે નિરંકુશપણે જુગાર-કીડા કરવા લાગ્યા, પરંતુ તેને કોઈ નિતી શકતા ન હતા. તે જ સર્વેને જિતતો હતોજેમ અતિ ચતુર પુરુષ પણ તેને જિતી ન શકે, તેમ મનુષ્યપણું જે હાર્યો, તેને ફરી પ્રાપ્ત થવું દુર્લભ છે. (૭) હવે ત્રીજા દષ્ટાન્તની સંગ્રહગાથા કહે છે – धण्णे त्ति भरहधण्णे, सिद्धत्थग-पत्थ-खेव थेरीए । अवगिचण-मेलणओ, एमेव ठिओ मणुय-लाभो ॥ ८ ॥ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં તમામ ધા એકઠાં કરી તેમાં ૧ પાલી સરસવ નાખી ભેગાં મેળવવાં. ત્યાર પછી કઈ વૃદ્ધ ઘરડી ડોસી તે પાલી સરસવ પાછા વીણ વને પાલી પૂરી કરે, તે કાર્ય જેમ મુશ્કેલ છે, તેમ મનુષ્યપણું ફરી મળવું મુશ્કેલ છે. - એક ક૯૫ના કરી માની લઈએ કે, કુતૂહળથી કોઈક દેવે ભરતક્ષેત્રમાં સર્વ ધાન્ય અને તૃણો એકઠાં કર્યા. એક સરસવ ભરેલો પ્રસ્થ (ધાન્ય માપવાનું ભાજન) ભરીને તેમાં ઉપર નાખ્યો. સર્વ સરસવો ધાન્ય સાથે એકઠાં કરી નાખ્યાં. ત્યાર પછી દુર્બલ દેહધારી દરિદ્રતામાં સબડતી, કઈ રોગથી પીડાતા અંગવાળી ડોશી સૂપડા વતી ઝાટકી ઝાટકીને સરસવને ધાન્યથી છૂટા પાડે. જ્યાં સુધી સરસવને પ્રસ્થ પૂરે ભરાય નહીં, ત્યાં સુધી તે પ્રમાણે તે ડોશી સુપડાથી સરસવ છૂટા પાડવાની મહેનત કર્યા જ કરે. કદાપિ તે ડોશી સર્વ સરસવ ફરી મેળવી શકે ખરી ? એ પ્રમાણે અનેક યોનિમાં પરિભ્રમણ કરનાર મહમલિન જીવને આ ભવમાંથી ભ્રષ્ટ થયા પછી મનુષ્યભવ ફરી મળે અતિ દુર્લભ છે. (૮) ચોથા દષ્ટાંતની સંગ્રહગાથા – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy