SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ जूयम्मि थेरनिव-सुयरज्ज-सहट्ठसययंसि दाएण । एत्तो जयाउ अहिओ, मुहाइ नेओ मणुय-लाभो ॥ ९ ॥ એક વૃદ્ધ રાજાને પુત્ર રાજ્ય મેળવવાની અભિલાષાવાળો થયે. તેને પિતાએ કહ્યું કે, “આ રાજસભા તારાથી ત્યારે જ જિતેલી ગણાય, જે તું મહેલના દરેક સ્તંભના ખૂણુઓને અખંડપણે ૧૦૮ વખત જિતે. વચમાં એક વખત પણ હાર ન પામે. મારી સાથે તું રમતમાં દરેક વખત જિતી જાય તો રાજ્ય મેળવવા માટે તું યોગ્ય ગણાય, નહીંતર નહીં.” આ જય કરતાં પણ અધિક કિંમતી મનુષ્યભવ છે, માટે તેને શુદ્ધ ધર્મારાધનના મૂલ્ય વગરને નકામો ન ગૂમાવશે. દષ્ટાંત કંઈક સ્પષ્ટતાથી કહે છે ' ધન-ધાન્યાદિકથી સમૃદ્ધ વસંતપુર નામના નગરમાં પ્રૌઢ પરાક્રમયુક્ત જિતશત્રુ નામને રાજા હતો. તે રાજાને ઈન્દ્રાણીના રૂપને જિતનાર એવી ધારિણી નામની ભાર્યા હતી. તેઓને રાજ્યભાર વહન કરનાર એવો પુરંદર નામનો પુત્ર હતે. વળી તેઓને ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત અતિ નિર્મલ વિપુલ કુલમાં ઉત્પન્ન થયેલ, સત્ય બોલનાર, હંમેશાં રાજ્યકાર્યમાં સજ્જ એવે પ્રધાન હતો. તે રાજાને એકસે આઠ સ્તંભવાળી, ચમકતી અનેક ચિત્રેલાં રૂપવાળી, શત્રુના ચિત્તને આશ્ચર્ય પમાડનારી એક સભા હતી. વળી દરેક સ્તંભને એકસો આઠ, એકસો આઠ એવા ખૂણાઓ હતા. એમ સર્વ મળી અગ્યાર હજાર, છસો ચોસઠ કુલ ખૂણાઓ હતા. એમ ઘણે કાળ પસાર થયે અને રાજા રાજ્ય ભોગવતું હતું, ત્યારે કેઈક સમયે દુબુદ્ધિવાળે કુંવર વિચારવા લાગે કે-“કેઈપણ પ્રકારે મેળવેલું રાજ્ય સુંદર ગણાય” એવી લકશ્રુતિ છે. માટે ઘરડા પિતાને મારીને રાજ્ય સ્વાધીન કરું. કુંવરને અભિપ્રાય પ્રધાન જાણું ગયે અને રાજાને જણ. રાજાએ કુંવરને બેલાવીને કહ્યું કે, “તારે કુલપરંપરાગત ક્રમ જાળવવા માટે રાહ જોવી પડશે, એમ છતાં તેને રાજ્ય મેળવવા માટે ઉતાવળ જ હોય, તે દરેક સ્તંભના દરેક ખૂણું એક દાવ આપી સતત ૧૦૮ વખત જિત. વચમાં એક વખત પણ હાર થાય, તે શરૂથી જિતવા પડે. એમ દરેક સ્તંભના દરેકે દરેક ખૂણે એક વખત પણ હાર પામ્યા સિવાય જિતવા જોઈએ. તે રાજ્ય આપું.” લાંબા કાળે પણ તે દરેક ખૂણું જિતવા મુશ્કેલ છે, તેમ ભવ-ગહનની લીલામાં રખડતા જીવને મનુષ્યપણાની દુર્લભતા જાણવી. (૯) હવે પાંચમા દષ્ટાન્તની સંગ્રહગાથા કહે છે – रयणे त्ति भिन्नपोयस्स, तेसिं नासो समुद्द-मज्झम्मि । अण्णेसणम्मि भणियं, तल्लाह-समं बु मणुयत्तं ॥१०॥ (૫) રતનદષ્ટાંત – સમુદ્રદત્ત નામના રત્ન વેપારીએ રત્નદ્વીપમાં મેળવેલાં રત્નો વહાણને ભંગ થવાથી સમુદ્રમાં નાશ પામ્યાં. ત્યાર પછી તે વેપારીએ સમુદ્રમાં શેધ કરાવી. તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy