SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ ] ઉપદેશપદ-અનુવાદ વૃદ્ધા તદ્દન અનુકૂળ બની ગઈ. એટલે પિતાના ઘરમાં સારભૂત એવી પોતાની પુત્રી તેને અર્પણ કરી. એ પ્રમાણે દરેકને શાંતિ થઈ. કેઈક દિવસે રાજાએ મિત્રને પૂછયું કે, “હેમિત્ર ! મને છોડીને તું કેમ ચાલ્યા ગયે હતે? જવાનું શું કારણ? ગયા પછી કયાં કયાં સુખ-દુઃખ અનુભવ્યાં? વળી મણિયુગલને લાભ કેવી રીતે થયો? તે વૃત્તાન્ત જલદી કહે કુતૂહલ અને વિરહથી આકુ લિત મારું મન લાંબા સમયથી આકુળ-વ્યાકુળ બની ગયું છે. ત્યાર પછી સુમિત્રે જે પ્રમાણે મણિને લાભ થયો હતો, તે સર્વ વૃત્તાન્ત યથાસ્થિત કહ્યો. તથા મારે મિત્ર સુકૃત-પુણ્યફળ અનુભવતે જ્યાં સુધી સુખેથી રહેલો છે, ત્યાં સુધી હું પણ આ ચિંતામણિરત્નના પ્રભાવથી વિલાસ કરતો હંમેશાં મિત્રના મુખનું દર્શન કર્યું અહિં જ મારી ઈચ્છા પ્રમાણે સુખાનુભવ કરું ”-એમ નિશ્ચય કરીને કેટલોક સમય ગણિકાના ઘરે રોકાયે હતો. કુટ્ટણીએ મને છેતર્યો, એટલે દેશાંતરમાં ચાલ્યા ગયા. આ પછી છેવટે આપણે સંગ-સમાગમ થયે. આ પ્રમાણે સર્વ વત્તાન્ત કો. આ સાંભળીને વિસ્મય પામેલા રાજાએ કહ્યું કે, “તને વ્યવસાયનું સુંદર ફળ પ્રાપ્ત થયું.” આ કહેવત તે સત્ય ઠરાવી–“વિનયથી મહાગુરુકૃપા, વ્યવસાય-ઉદ્યમ કરવાથી નહિં ધારેલી પુષ્કળ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, પથ્થથી આરોગ્ય અને ધર્મથી સ્વર્ગ અને મોક્ષ પણ મેળવી શકાય છે.” ત્યારે સુમિત્રે કહ્યું કે, “હે દેવ વ્યવસાયમાત્રથી શું લાભ? એકલું પુણ્ય પ્રધાન છે કે, જે વ્યવસાય વગર સુખને અપાવે છે. પુણ્ય વગર એકલો વ્યવસાય-ઉદ્યમ ફળ વગરના વાંજિયા વૃક્ષ સમાન નિષ્ફળ થાય છે. કહેલું છે કે-“જે વસ્તુ દુર્લભ હોય, વળી ઘણે દૂર રહેલી હોય, મેળવવામાં ઘણું મુશ્કેલી હોય, સંચય કરવામાં પરવશતા કે લાંબો સમય જાય, વળી તે સજજન કે દુર્જનને આધીન હોય, પરંતુ પૂર્વે ઉપાર્જન કરેલ અલ્પધર્મના પ્રભાવથી ચિતવવા માત્રથી સુખેથી સહેલાઈથી તરત મેળવી શકાય છે.” હે દેવ! આપ તે અધિકપુણ્યવાળા છો. કારણ કે, સ્વયંવર મનહર રાજપુત્રી માફક આપને રાજ્યલક્ષ્મી સ્વયં સહેલાઈથી વરેલી છે. વળી જે આપ મનોરથ કરે છે, તે મહાપુર વસાવીને પિતાના રાજ્યમંડલમાં પ્રવેશ કરી શકે. આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરતા અગાધ સુખ-સાગરમાં ડૂબેલા એવા તેઓને સમય પસાર થાય છે. કોઈક સમયે કૌતુકાધીન બની રાજા મહાપુરમાં ગયા. તેની નિશ્રામાં તેની પ્રજાઓ એકઠી થઈ, પોત પોતાના સ્થાનમાં વાસ કર્યો. પૂર્વનીતિનું સ્થાપન કર્યું, તેની રક્ષાના અધિકારીઓનો નિગ કર્યો, ફરી મહાશાલ નગરમાં આવ્યો. સમગ્ર લોકોને પ્રશંસાપાત્ર એવું મહારાજ્ય પાલન કરવા લાગ્યા. માટે હે દેવ ! આ કથાને પરમાર્થ આ સમજ કે-“ગમે ત્યાં તમે જાવ, ગમે તે વ્યવસાય-ઉદ્યમ કરે, પરંતુ જે પુણ્યવાન પુરુષ હશે, તે વીરાંગદ રાજાની જેમ સુખ પ્રાપ્ત કરશે.” બ્રાહ્મણભટ્ટે કહેલી આ કથા સાંભળીને રાજા એકદમ વિચારવા લાગ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy