SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ વીરાંગદ અને સુમિત્રની કથા [ ૫૯૩ લાગી. ત્યારે પરિવાર અને બીજા લોકે દોડી આવ્યા. દરેકને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે, “તારી પુત્રીને આ ક દુષ્ટ વેરી છે? એના જવાબમાં પરિજને જણાવ્યું કેકોઈ અજાણ્યો પરદેશી આવ્યો હતે. ત્યારે લોકો કહેવા લાગ્યા કે, કોઈ સર્વજ્ઞ હશે. હે ભદ્ર! આ જ તારી પુત્રી છે” કેઈક ઈંદ્રજાલિક વિદ્યા જાણકારે આનું વિકૃત સ્વરૂપ કરી નાખેલું છે. તે તે જેટલામાં દૂર ન ચાલ્યો જાય, તેટલામાં જલદી રાજાને નિવે. દન કરો. ત્યાર પછી કુટ્ટણીએ તરત વીરાંગદ રાજાને નિવેદન કર્યું. રાજાએ વિચાર્યું કે, “મારા મિત્ર સુમિત્ર સિવાય આ બીજાનું કાર્ય સંભવતું નથી”—એમ શંકા કરતાં તેને પૂછયું કે, “હે ભદ્ર! તેની સાથે સમાગમ થયાને તને કેટલો સમય થયો? તેણે જણાવ્યું કે, “જે દિવસે આપે આ નગર સ્વાધીન કર્યું, તે જ દિવસે સમાગમ શરુ થયેલ, પરંતુ વચમાં તે ક્યાંય ગયે હતે. હમણું પાછો આવ્યો હતો અને મેં દેખ્યો. એ સાંભળીને સંભ્રમ પામેલા રાજાએ નગરના રખેવાળ પુરુષને તેની શોધ કરવા આજ્ઞા કરી. સેવકેને જણાવ્યું કે, “દેવની માફક વિનય કરવા પૂર્વક જલદી તેને અહિં માનપૂર્વક લાવ.” ત્યાર પછી કુટ્ટણીની દાસીએ બતાવેલ તે આવવાની ઈચ્છા કરતું ન હતું, છતાં પણ મધુર વચનથી સમજાવીને રાજાના સેવકે તેને લઈ આવ્યા. દૂરથી જ તેને ઓળખી લીધે. રાજાએ ઉભા થઈ તેને આલિંગન કર્યું. “મહાધૂત એવા મારા મિત્રનું કુશલ વતે છે?” એમ રાજાએ પૂછ્યું. તેણે પણ પ્રણામ કરવા પૂર્વક મસ્તક નમાવતાં જણાવ્યું કે, “આપની કૃપાથી” રાજાએ કહ્યું કે-બીજી હકીક્ત હાલ રહેવા દે, પરંતુ અત્યારે કહે કે, આ બિચારી કુટ્ટણીની પુત્રીને ઉંટડી કેમ બનાવી? તે કે, “પિતાની મેળે વૃક્ષ-પદ્ધ સહેલાઈથી ચરી શકે, તેને ભજનનું વ્રત હોતું નથી. વાહનમાં બેસવાનું વ્રત પણ તેને સંભવતું નથી. એટલે.” તેની માતાએ કહ્યું કે, “આ ગપ્પાં હાંકવાના છોડી દે, જલદી તેને સારું કરી આપ. તારું જાદુઈ વિજ્ઞાન જાણું લીધું છે.” સુમિત્રે પ્રત્યુત્તર આપે કે, “હે પાપિણી! આ મારું જાણપણું કશું નથી. તેને મહાઉદરવાળી ગધેડી બનાવીશ અને સમગ્ર નગરની વિષ્ટા તારી પાસે ઉચકાવી ઢગલો કરાવીશ, જેથી મહાશાલ નગરમાં અશુભગંધ ન ફેલાય; અથવા તે મહારત્ન પાછું સમર્પણ કર.” રાજાએ પૂછયું કે, “હે મિત્ર! રત્ન કેવું? તેણે કહ્યું કે, “જેના પ્રસાદથી મેં આપને સ્નાન-ભજનવિધિ વગેરે સત્કાર કરી, ગૌરવ-આદર કરેલ, તે ચિંતામણિ રત્ન.” ત્યાર પછી ક્રોધથી લાલ નેત્ર કરી રાજાએ તેને તિરસ્કાર કરતાં જણાવ્યું કે“ અરે ધીઠી ! પ્રત્યક્ષ ચોરી કરનારી ! મારા મિત્રની ચોરી કરી?” એમ કહ્યું, એટલે ભય પામેલી તે દંતાગ્રથી આંગળી પકડીને “આપનું શરણુ, આપનું શરણ” એમ બોલતી તે કુકણું સુમિત્રના પગમાં પડી. તેણે પણ રાજાને શાન્ત કર્યો. રત્ન પ્રાપ્ત થયું, એટલે રતિસેનાને અસલ રૂપવાળી સ્વસ્થ બનાવી. માતાનું પાપી ચરિત્ર જાણીને સુમિત્રમાં એકાંત અનુરાગી બની. જ્યારે સુમિત્રને પ્રભાવ જાયે, જાતે દેખે, ત્યારે ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy