SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ ] ઉપદેશપદ-અનુવાદ સામેથી કહે છે કે-“હજુ કાઠેથી અગ્નિ, નદીઓથી સમુદ્ર તૃપ્ત થાય, પરંતુ તે પાપિણી ! પતિએ તને માગવાથી અધિક આપ્યું, છતાં તને તૃપ્તિ ન થઈ ? કદાચ અગ્નિ મારા અંગનું આલિંગન કરશે, પરંતુ સુમિત્ર સિવાય બીજે કદાચ કામદેવ સમાન રૂપવાળે હેય, તે પણ તેને હું તિરસ્કાર કરીશ.” આ પ્રમાણે દઢ નિશ્ચયવાળી તેને ઘણું સેગને આપવા પૂર્વક ભેજન–વૃત્તિ કરાવીને અકક્કા સુમિત્રને ખાળવા માટે એક દીલથી પ્રયત્ન કરવા લાગી. કેઈક સમયે પિતાના ઘરની નજીકના માર્ગે અલંકૃત થઈને પસાર થતો હતો, ત્યારે તે દેખવામાં આવ્યો. એટલે તરત જ જઈને અતિ નમ્ર બની વિનવણી કરીને પિતાના ઘરે લાવી. ઘણે જ આદર-સત્કાર કરી અક્કાએ તેને કહ્યું કે, “હે પુત્ર! આ પ્રમાણે પરદેશ ચાલ્યા જવું, તે તને શુભતું હતું ? વળી જળપાન કરવા માટે આવેલા મુસાફર પુરુષ એક સ્થાને એકઠા થાય, તે પણ પિતાની પરસ્પર કંઈક વાતો ચીત કરે છે, અને છૂટા પડતી વખતે રજા માગે છે. તે તું નેહ બતાવીને એકદમ કહ્યા વગર પરદેશ કેમ ચાલ્યો ગયે ? હે પુત્ર ! આટલે કાળ તે મેં તારા માટે ક્યાં કયાં શોધ ચલાવી નહિં હોય? તે અત્યાર સુધી અમને દર્શન આપીને કેમ કૃતાર્થ ન ર્યા ? વગર અપરાધે આ મારી પુત્રીને છોડી ચાલી ગયે, પણ તે તારા ઉપર સનેહ વગરની થઈ નથી, એટલું જ નહિં, પણ તારા વિરહમાં દુઃખી થઈને પ્રાણના સંદેહવાળી બની ગઈ છે, તેને સાક્ષાત્ દેખ.” ત્યારે સુમિત્ર પણ મનમાં વિચારવા લાગ્યો કે, “આ ધૂતારીની ધૃષ્ટતા કેટલી છે કે, આટલો અપરાધ કરવા છતાં પણ જાણે પોતે કંઈ જાણતી જ નથી, તેમ છૂપાવે છે. તો પણ ચિંતામણિ પાછો મેળવવાને બીજો ઉપાય નથી-એમ વિચારતે કંઈ પણ મુખવિકાર બતાવ્યા વગર કહેવા લાગ્યું કે- આવી અવળી સંભાવના ન કરવી. મને પરદેશ જવાનું ઉતાવળું કાર્ય આવી પડવાના કારણે કહ્યા વગર ચાલ્યા ગયે હતો અને આજે જ પાછો આ છું. બીજા કાર્યોમાં એ ગૂંથાઈ ગયો હતો, જેથી અહિં આવવા જેટલો સમય ન હતું, તેથી આવ્યો ન હતો. આ સાંભળીને કુટ્ટણી મનમાં વિચારવા લાગી કે, “ચિંતામણિની વાત ભૂલી ગયો છે, એટલે ખુશી થઈ. તો પણ “હું જૂઠ બેલનારી ગણાઈશ’ એમ ધારીને ચિંતામણિ સમર્પણ કરતી નથી. ત્યાર પછી નિરાંતે બેઠેલી રતિસેનાને સુમિત્રે કહ્યું કે-“હે પ્રિયે! જે તું રોષાયમાન ન થાય, તે હું કંઈક કૌતુક બતાવું.” ત્યારે કહ્યું કે, “બતા” એમ કહેતાં, આગળ કહેલા ગ–અંજનથી તેને ઉંટડી કરીને તે પિતાના ઘરે ચાલ્યો ગયો. હવે કદઈએ ભોજન-સમયે બૂમ પાડીને માતાએ બોલાવી. જ્યારે પ્રત્યુત્તર ન મળે, એટલે ગભરાતી ગભરાતી જેવા ગઈ. તેવું ઉંટડીનું રૂપ દેખી વિચારવા લાગી કે, શું આ ઉંટડી તેને ખાઈ ગઈ હશે કે શું? આ રાક્ષસી જણાય છે, નહિંતર આ મહેલ ઉપર તે કેવી રીતે આરૂઢ થઈ શકે, ભય પામેલી તે એકદમ બૂમ પાડીને પોકારવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy