SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ વીરાંગદ અને સુમિત્રની કથા [ ૫૯૧ ઉતારી. ફરી ઉંટડી બનાવી તેમના ઉપર રને ભાર આરોપણ કરી બંનેને લઈને તે મહાશાલ નગર તરફ ચાલ્યા. કેટલાક દિવસો પસાર થયા પછી એક ભૂતની તંત્ર વિદ્યામાં સિદ્ધિ પામેલાને આ હકીકત જણાવી, તો તેણે તેને સાત્વન આપ્યું. ઘણું વિકરાળ રૂપ કરીને ભયંકર અટ્ટહાસ્યથી અતિશય બેચરોને ત્રાસ પમાડતો. પોકાર કરીને ત્રણે લેકને ચકિત કરતો તે દુષ્ટ રાક્ષસ નજીક આવ્યું. ત્યાર પછી મંત્ર-પ્રભાવની અચિત્ય શક્તિથી અરે રે! પાપિષ્ટ દુષ્ટ અનાર્ય ! તું આજે ક્યાં નાસી જાય છે ? એમ કહીને તે મંત્રસિદ્ધ પુરુષે તેને ડુંડાની જેમ સ્તંભિત કરી સ્થિરતા ધારણ કરાવી. તેને પ્રભાવ સમજી ગએલો તે દુષ્ટ રાક્ષસ કહેવા લાગ્યો કે- રાક્ષસોને પણ ભક્ષણ કરનાર હોય છે.” એ લોક-કહેવતને આજે તેં સત્ય ઠરાવી, તો હવે મને છોડી દે, તું જેમ આજ્ઞા કરીશ, તેમ હું કરીશ.” સિદ્ધપુરુષે કહ્યું કે-“જે એમ છે, તો એમના વિષે જે વૈરભાવ છે, તેને ત્યાગ કર. પેલાએ કહ્યું કે-“ભલે, પરંતુ મારી પ્રિયતમાઓને મને પાછી અપાવો.' ત્યારે તેણે તેને કહ્યું કે, શ્રેષ્ઠ સ્ત્રીઓની પ્રાર્થના માટે તપથી ભ્રષ્ટ થઈ ભયંકર મરણ પ્રાપ્ત કરવા છતાં હજુ તેની મમતા કેમ છોડતો નથી ? બીજું તું આવી અનુચિત હલકી દેવગતિ તેમ જ નરકાગ્નિના સંતાપના કારણભૂત આવી દુર્ગતિ પામ્યો છે, છતાં હજુ સંતોષ પામ્યો નથી કે, દુવંછા કરવા ગ્ય મનુષ્યને સંગ કરવામાં આનંદ માને છે! તું સર્વથા આમનો ત્યાગ કર અને તેમની પીડાઓ દૂર કર.” એ પ્રમાણે સિદ્ધપુરુષે કહ્યું, એટલે તેનું વચન સ્વીકારીને “ભલે એમ થાઓ, હવે ભલે મહાપુરમાં વાસ કરે.” એમ બોલતો તે રાત્રે ફરનારે રાક્ષસ ગયો. ત્યાર પછી સુમિત્રે હર્ષ પામીને તેને કહ્યું કે, “અહો ! તમે મહાસત્ત્વશાળી, મહાસાહસિક, મહાકારુણિક છે કે, જે તમે માત્ર પરોપકાર કરવાની બુદ્ધિથી આ દુષ્ટનો નિગ્રહ કર્યો. એ પ્રમાણે તેની પ્રશંસા કરી. તેણે પણ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, “હે સપુરુષ ! આ સ્તુતિવાદને પેશ્ય તો તમો છો. કારણ કે, તમે મંત્રાદિક સાધન વગરના હોવા છતાં ભયનો ડર રાખ્યા વગર આવું મહાન સાહસ કર્યું. તમેએ પણ ઘણુ સુકૃતને પ્રાપ્ત કર્યું, નહિંતર આવા સમયે મારી સાથે સમાગમ કયાંથી થાય? આવા પ્રકારને આ સજજન વિદ્યાસિદ્ધ લાંબા સમય સુધી વાતાંલાપ કરીને પોતાના કાર્ય માટે ચાલ્યો ગયો. સુમિત્ર પણ સુખ-પૂર્વક મહાશાલ નગરમાં પહોંચી ગયે. પ્રધાનપદને સ્વીકાર કરી તેઓ સાથે ક્રીડા કરતો રહેલો હતો. હવે પિલી વેશ્યપુત્રી રતિસેના સુમિત્રને ક્યાંય નહિ દેખતી હોવાથી તેણે ત્રણ રાત્રિ સુધી ભોજન અને વાર્તાલાપ કરવાનો ત્યાગ કર્યો. કુટ્ટણીએ ઘણે પ્રયત્ન કર્યો, પરંતુ “રત્ન વિધિ-સાધના કર્યા વગર ફળીભૂત થતાં નથી તેથી ચિંતામણિરત્ન પાસેથી ફૂટેલી કડી પણ પ્રાપ્ત ન થઈ. એટલે સુમિત્ર અને પુત્રીને વિશ્વાસ ગૂમાવવાથી મહાપશ્ચાત્તાપથી તપેલા ચિત્તવાળી હવે પુત્રીને અનેક યુક્તિથી સુમિત્રને ભૂલાવવા, શોક -ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે, તે પણ પુત્રી સુમિત્રને આગ્રહ છેડતી નથી. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy