SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ ] ઉપદેશપદ-અનુવાદ G કાન તોડી નાખ્યા, કપોલતલ કાપી ખાધું. દાંતના અગ્રભાગથી તેની નાસિકા કાપી. નાખી, વાંદરીઓએ તેની આશાએ ભાંગી નાખી. હવે પિકાર કરવા લાગ્યો કે, “અરે શિ ! તમે જલદી અહીં દેડી આવો, આ રાક્ષસીઓ મને ભરખી જાય છે.” એમ વિલાપ કરતે કરતે તરત ભૂમિ પર ઢળી પડ્યો. શિખ્યા પણ ભયંકર દુસહ પોકાર સાંભળવા છતાં ગુરુને મંત્રસાધનામાં વિધ્ર થવાના ભયથી આવવા મનાઈ કરેલી હતી, તેથી ત્યાં ન આવ્યા. તેથી આખી રાત્રિ તે તડફડતો રહ્યો. માંકડીઓ ફરી ફરી તેને બચકાં ભરતી હતી, એની છાતી અને પેટ તદ્દન ભેદી નાખ્યાં, એટલે તેના પ્રાણ જાણે “આ પાપી છે તેમ ધારી નીકળી ગયા. ભવિતવ્યતા–ચગે મરીને એ મહારૌદ્ર રાક્ષસ થયે. ભયંકર આકૃતિવાળા તેને પોતાના જ્ઞાનથી મરણનું કારણ જાણવામાં આવ્યું કે, “માંકડીને પ્રયોગ કરીને આણે મારી પ્રિયાઓનું હરણ કર્યું છે અને મને મરાવી નંખાવ્યો છે. એટલે સુભીમ રાજા ઉપર અતિક્રોધે ભરાયો. તે ભયંકર રાક્ષસ આ નગરમાં આવ્યો, તે રાજાને વધ કરીને તેણે આખું નગર ઉજજડ કરી અમારા બે સિવાય સવેને દેશ-નિકાલ કર્યા. વળી તેણે રૂપ–પરાવર્તન કરનાર બે અંજન-ગો તૈયાર કર્યા, જે તમેએ જાતે જ અહિં દેખ્યા છે. હે સૌભાગી! અમોએ અમારો બનેલ વૃત્તાન્ત તમોને જે બન્યો હતો, તે જણાવ્યું. પિતાને મનમાં રહેલ વૃત્તાન્ત કહેતાં માટે નેહ ઉત્પન્ન થયો. તે હે મહાસત્ત્વશાળી ! આ અમારા વૃત્તાન્તથી તે અમે પૂર્ણ કંટાળેલા છીએ. આવા શૂન્ય અરણ્ય-વાસમાંથી તેમ જ ભયંકર યમરાજા સરખા આનાથી અમને મારી ન નાખે તે પહેલાં મુક્ત કરા.” તેમની હકીકત સાંભળીને પ્રાર્થના-ભંગ કરવામાં ભીરુ કરુણ-સમુદ્ર તેના લાભથી ઉલ્લસિત માનસવાળા સુમિત્રે પૂછ્યું કે, “અત્યારે તે કળ્યાં ગયો છે? કેટલા દિવસે પાછો ફરે છે? ત્યારે તેઓએ કહ્યું કે, “તે રાક્ષસદ્વીપે જઈને બે કે ત્રણ દિવસ થયા પછી ઈચ્છા પ્રમાણે આવે કે ન પણ આવે, કદાચ અમે વેલો ન લાવીએ, તે પંદર દિવસ કે એક મહિનો પણ ત્યાં રોકાઈ જાય. આ જ રાત્રે તે નક્કી તે આવશે જ, તે તમારે છેક ભૂમિતલમાં રત્નની વખારમાં રહેવું, જીવિતની રક્ષા કરવી. સવારે યથાયોગ્ય લાગે, તેમ કરજે. ત્યાર પછી વેગીલા અશ્વને બોલાવો”—એમ બોલતી તેને ફરી ઉંટડી બનાવીને સુમિત્ર અદશ્ય થયો. રાક્ષસ પણ સંધ્યા–સમયે આવી પહોંચે અને બંનેને સ્વાભાવિક અવસ્થાવાળી કરીને પછી નાક મચકોડતે છી છી કરે કહેવા લાગ્યો કે, “આજે મનુષ્યની ગંધ કેમ આવે છે?” ત્યારે સુંદરીઓએ કહ્યું કે, “અમે મનુષ્ય હોવાથી તેની તમને ગંધ આવે છે. તેમ કહીને વિશ્વાસમાં લીધે. ત્યાર પછી રાત્રિ પસાર કરીને જતો હતો, ત્યારે બંનેએ કહ્યું કે, “હે દેવ ! અમને એકલીને અહિં બીક લાગે છે, તે તમારે જલદી આવવું.” ત્યાર પછી તે પિતાના ધારેલા સ્થાનકે ગયે. સુમિત્રે પણ અંજનગની ડાબડી ગ્રહણ કરી, તે બંનેને માનુષી બનાવી નીચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy