SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાંગદ અને સુમિત્રની કથા [ ૫૮૯ પૂર્વક કહેવા લાગ્યા કે, “આપણું ગુરુનો પ્રભાવ કેવો છે !” એમ કરીને બે ત્રણ ગાઉ સુધી કહેલા નદી-કાંઠે ગયા. અતિનિપુણતાથી તે નદીના ઉપલા ભાગ તરફ નજર કરવા લાગ્યા. આ બાજુ તે મંજૂષાનું વચમાં શું થયું, તે કે મહાપુર નામના નગરના સુભીમ નામના રાજાએ નાવડીથી જલક્રીડા કરતાં કરતાં નદીમાં વહેતી આવતી તે કાષ્ઠપેટીને દેખી, કૌતુક–સહિત તેને ગ્રહણ કરીને ઉઘાડી. અમારું રૂપ દેખીને અતિવિસ્મય પામ્યો. કામદેવાધીન થયેલો તે મંત્રીને કહેવા લાગ્યો કે, “આ પાતાલ-કન્યાઓનું આશ્ચર્ય દેખ, અથવા તે આ વિદ્યાધરીએ કે દેવાંગનાઓ અગર કઈ રાજકન્યાઓ હશે કે શું? “હે ભાગ્યશાળીએ ! તમે કોણ છો ?” ઘણું આગ્રહથી પૂછવા છતાં પણ દુઃખ પામેલી અમે તેમને ત્યાં કંઈ પણ પ્રત્યુત્તર આપી શકી નહિં. આ સમયે રાજાના અભિપ્રાયને સમજીને મંત્રીએ કહ્યું કે, “હે દેવ ! કારણ વગર આ અલંકૃત કન્યાઓનો કોઈ ત્યાગ ન કરે, તો કેઈકે પોતાના ઈષ્ટકાર્યની સિદ્ધિ માટે આ ગંગાનદીને આ કન્યાઓનું દાન કર્યું જણાય છે. તો “હવે આ પેટીમાં બીજું કઈ સ્ત્રીયુગલ મૂકીને આ બંનેને સ્વીકાર કરો. બીજાએ વળી કહ્યું કે, “અહિં વળી બીજી બે નારીઓ કયાંથી લાવવી ? અહિં કિનારા પર વન ખંડે છે, તેમાંથી બે વાનરીઓને પકડી લાવીને પેટીમાં નાખો. ત્યાર પછી આ વાત બહુ સુંદર કરી.” એમ બેલતા રાજાએ બે યુવાન વાનરીઓને પેટીમાં નાખી. તે જ પ્રમાણે તે બંનેને સ્થાપન કરી પેટીને નદીમાં વહેતી મૂકી. ત્યાર પછી બીજું રાજ્ય ઉપાર્જન કર્યું હોય, તે અતિશય આનંદ રસ અનુભવતો રાજા અને નગરમાં લઈ ગયો. તે પરિવ્રાજકના શિષ્ય પોતાના ગુરુ ફેરફાર કહે જ નહિં” તેવી શ્રદ્ધાથી તેની રાહ જોતા હતા. લાંબા સમયે કાપેટી દેખાઈ. તરત ગ્રહણ કરીને બોલ્યા વગર તે પાપી ગુરુ પાસે લઈ ગયા. અતિ ઉત્કંઠિત બનેલા એવા તે પરિવ્રાજકને કઈ પણ પ્રકારે તે સમયે દિવસ આથમી ગયે. ત્યાર પછી ગુરુએ ચેલાઓને કહ્યું કે, “અરે! આજે તમારે મઠિકાનાં દ્વાર બંધ કરી તાળું મારીને દૂર બેસવું. કદાચ ઘણે જ પોકાર થાય, તો પણ તે સાંભળીને સૂર્યોદય પહેલાં અહિં ન આવવું. સર્વથા મારા મંત્રની સિદ્ધિ નાશ થાય–તેવા ઉપાયો તમારે ન કરવા.” એમ હિતશિક્ષા આપી. ત્યાર પછી મઠિકાનું દ્વાર બંધ કર્યું. ત્યાર પછી તે કહેવા લાગ્યો કે“હે સુંદરીઓ ! તમારા ઉપર ગંગાદેવી ખૂબ પ્રસન્ન થયાં છે, જેથી તમને ભર્તાર તરીકે સ્વર્ગવાસી દેવ આપે છે. તે હવે બે હાથ જોડીને આ સેવક પ્રાર્થના કરે છે, તેને તમારે માનભંગ ન કરવો.”—એમ બેલતાં પેટી ઉઘાડીને તે સુંદરીઓ ગ્રહણ કરવાની અભિલાષાથી તેમાં બે હાથ લંબાવ્યા. એટલે પેટીમાં પૂરીને પરાધીન બનાવવાના કારણે કોપ પામેલી બંને દુષ્ટ માંકડીઓએ એકદમ તેને પકડ્યો. વાંદરીઓએ પિતાના તીણા નથી તેને શરીરમાં જગ જગે પર ચીરી નાખે, લોહી-લુહાણ કરી નાખ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy