SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ ] ઉપદેશપદ-અનુવા અમને ઉદ્વેગનું કારણ થાય છે. માટે અમે તમને અકુશલપણું કહેવા સમર્થ નથી. આટલું જ બસ છે. વધારે આગળ કહેવા માટે મારી જીમ ઉપડતી નથી.” એમ કહીને તે પરિવ્રાજક પોતાના સ્થાને ચાલ્યો ગયો. “ખરેખર આ શું હશે?” એમ આકુલ મનવાળા પિતા ત્યાં પહોંચીને પણ વિશેષ આદર-સહિત એકાંતમાં પૂછવા લાગ્યા, ત્યારે તેણે કહ્યું કે, “શું કરું?, એક બાજુ વાઘ છે, બીજી બાજુ બે કિનારા ભરપૂર જળવાળી નદી છે. જેથી ‘નથી કહી શકાતું કે, નથી કહ્યા વગર રહી શકાતું.” મુનિજનને આવી વાત કરવી તે પણ ગ્ય ન ગણાય, તો પણ મને તારા ઉપર ગૌરવ-માન છે- તેથી પરમાર્થ છે, તે સાંભળ. ભજન–સમયે બેઠો હતો, ત્યારે તારી પુત્રીઓની લક્ષણરેખા મારા જેવામાં આવી. તે રેખાનું ફળ એવું છે કે, પિતાના પક્ષને-કુળને નાશ કરનારી તે રેખા મારા ધ્યાનમાં આવી છે. આ શલ્ય ભેંકાવાથી મેં ભોજનનો ત્યાગ કર્યો. તે બહુ આગ્રહ કર્યો, એટલે વળી કંઈક ખાધું.” આ સાંભળીને શેઠના મનમાં થયું કે, “આ મહાજ્ઞાની અને જેના વચનમાં કદાપિ ફેરફાર ન થાય તેવા મહાત્મા છે.” એટલે ભય પામેલા પિતાએ પૂછયું કે, “આ વિષયમાં કેઈ ઉપાય છે ?” તેણે કહ્યું કે, “છે, પરંતુ તે તમારા માટે દુષ્કર છે, પરંતુ ખરાબ લક્ષણવાળી વસ્તુને ત્યાગ કરવાથી પીડા દૂર થાય છે. આખા કુટુંબમાં તેઓ પ્રાણાધિક પ્રિય છે. જે તેને કુમારાવસ્થામાં સર્વાલંકાર-વિભૂષિત કરી કાછની પિટીમાં ગોઠવીને કેઈ ન જાણે તેવી રીતે ગુપ્તપણે ગંગામાં વહેવડાવી દેવી. તેની અમુક અનુષ્ઠાન-ક્રિયા કરવી, જેથી સર્વ સારાં વાનાં થશે.” આ પ્રમાણે જેની બુદ્ધિ પાપથી નાશ પામી છે, એવા તેને યથાર્થ માનતા પિતાએ કુલના રક્ષણ માટે એક મોટી મંજૂષા કરાવી. સ્નાન-વિલેપનાદિ તથા આભૂષણાદિકથી અલંકૃત કરીને અમને તેમાં સુવડાવી રાખીને તે મંજૂષામાં મસ્યાકારવાળાં છિદ્રો કર્યા. માતાને તથા બીજાઓને પરમાર્થ જણાવ્યો નહિ અને આપણા કુલને આ રિવાજ છે કે, “કુમારિકાઓએ આ પ્રમાણે વિધિથી ગંગાનાં દર્શન કરવાં જોઈએ.” એમ કહીને પ્રભાતસમયે મંજૂષાને ગાડામાં આરોપણ કરીને પોતે, તથા પરિવ્રાજક એમ બંનેએ શાંતિકર્મની કેટલીક ક્રિયાઓ કરી. પછી અમને ગંગાનદીમાં વહેવડાવી. પિતા ઘરે ગયા. લોકોને પિતાને ખેદ બતાવતા કહેવા લાગ્યા કે, “નદીએ અલાસ્કારથી ખેંચી લીધી.” એમ રુદન કરવા લાગ્યા અને શોક-કાર્ય આરંવ્યું. પરિવ્રાજક પણ પિતાના મઠમાં પહોંચીને શિષ્યોને કહેવા લાગ્યો કે, “અરે ચેલાઓ ! તમે સાંભળો. ભગવતી ગંગાદેવી મારા પર પ્રસન્ન થયાં છે. આજે હિમાવાન પર્વત ઉપરથી મારા મંત્રોની સિદ્ધિ માટે પૂજાનાં ઉપકરણોથી ભરેલી મંજૂષા મોકલી છે, તો તમે જલદી જઈને નીચેના ઓવારે રાહ જુઓ. મંજૂષાને ઉઘાડ્યા વગર અહિં આણજે, જેથી મંત્રમાં વિદને ન આવે.” તે ચેલાઓ પણ આશ્ચર્ય— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy