SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] ઉપદેશપદ-અનુવાદ સાંભળી શેઠપુત્ર સાગરદત્ત તે બંનેને સાથે લઈ નગર બહાર નીકળી ગયો. ત્રણે થોડેક દૂર ગયા એટલે મહા મુશ્કેલીથી સાગરદત્તને રોકીને તે બંને આગળ જવા પ્રયાણ કરતા હતા. દરમ્યાન તે જ નગરીની બહાર યક્ષના મંદિર પાસે ગાઢ ઝાડની વચમાં રહેલી એક યુવતી અનેક પ્રકારના હથિયારો ભરેલા રથમાં બેસી નજીક આવેલી હતી. તે તેમને દેખી આદર-સહિત કહેવા લાગી કે, “તમે આટલા બધા મોડા કેમ આવ્યા?” તે સાંભળી તેઓએ કહ્યું કે-“હે ભદ્ર! અમે કોણ છીએ?” પેલી યુવતી કહેવા લાગી કે, “તમે બ્રહ્મદત્ત અને વરધનુ.” તે અમોને કેવી રીતે ઓળખ્યા? તે પ્રત્યુત્તરમાં કહ્યું કે સાંભળો-“આ જ નગરીમાં ધનપ્રવર નામના શેઠ વસે છે. ધન સંચયા નામની તેની ભાર્યા છે. તેની કુક્ષીથી જન્મેલી હું તેમની પુત્રી છું. આઠ પુત્રો ઉપર જન્મેલી છું. યૌવનવય પામી છું. કોઈ પણ વર પસંદ ન પડ્યો, તેથી મેં યક્ષની આરાધના કરી. યક્ષ મારી ભક્તિથી પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ થઈને મને કહ્યું કે, “હે વત્સ! તારા પતિ ચક્રવર્તી થશે, તેનું નામ બ્રહ્મદર છે.” “મારે તેને કેવી રીતે ઓળખો ?” યક્ષે કહ્યું કે, “જ્યારે કુકડાઓનું યુદ્ધ ચાલ્યું, ત્યારે દેખે હતો અને તારા મનમાં ગમેલો હતું, તેને તારે બ્રહ્મદત્ત જાણવો.” વળી કુકડાના યુદ્ધ બાદ વરધનુ સાથે તમારે જે વૃત્તાન્ત બને તે કહ્યો, તથા તમને હાર મોકલ્યા વગેરે જે કાર્યો કર્યા, તે પણ મેં જ કરેલાં. આ વૃત્તાન્ત સાંભળીને વિચાર્યું કે, “મારા રક્ષણ માટે આપણે આદરથી પ્રયત્ન કર્યો, નહિંતર હથિયાર સાથે મારા માટે રથ ક્યાંથી હાજર કરે?” એમ વિચારીને તેના વિષે અતિશય રાગવાળ બનીને કુમાર રથ ઉપર આરૂઢ થયા અને જાણ્યું કે, આ જ રત્નવતી છે. ત્યાર પછી પૂછયું કે, “આપણે કઈ તરફ ચાલીશું?” (૩૦૦) ત્યારે રનવતીએ કહ્યું કે, મગધપુરમાં મારા પિતાજીના લઘુબધુ ધન નામના છે, તે ત્યાં શ્રેષ્ઠીપદ પામેલા છે. તેઓ મારે અને તમારે વૃત્તાન્ત જાણીને અતિવર્ષથી અને ગૌરવથી આપણું આતિથ્ય કરશે. માટે તે તરફ ગમન કરે. ત્યાર પછી તમને જે ઠીક લાગે તેમ કરશો.” ત્યાર પછી કુમાર તે તરફ પ્રયાણ કરવા લાગે. વરધનુએ સારથિપણું કર્યું અને અનેક કિલ્લાવાળા કોસાંબી દેશથી નીકળીને પર્વતની ખીણમાં વૃક્ષોની ગાઢ ઘટા હોવાથી અંદર સૂર્યનાં કિરણો પ્રવેશ પામી શકતાં ન હતાં-એવા પહાડી પ્રદેશમાં આવ્યા. ત્યાં કંટક, સુકંટક નામના ચોરોના અધિપતિ રહેતા હતા. શ્રેષ્ઠ રથ, સ્ત્રીરત્ન, શણગારેલ શરીરવાળા અ૮૫ પરિવારવાળા કુમારને દેખીને હથિયાર સજી અને બખ્તર પહેરીને તેઓ ધનુષ-દોરી ખેંચીને નવીન મેઘ માફક બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. ધર્યના મંદિર સમાન કુમારે પણ લગારે ક્ષેમ પામ્યા સિવાય સિંહ જેમ મૃગલાઓને નસાડી મૂકે, તેમ ચેરને હાર આપી નસાડી મૂક્યા. તેઓનાં છત્ર અને દવાઓ નીચે પડી ગયાં, વિવિધ પ્રકારના આયુધોથી ઘવાએલા શરીરવાળા આમ-તેમ ભ્રમણ કરતા નિષ્ફળ પ્રયત્ન કરતા દરેક દિશામાં પલાયન થવા લાગ્યા. ત્યાર પછી તે જ રથ પર આરૂઢ થઈ કુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy