SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] ઉપદેશપદ-અનુવાદ જણાવી દીધી. ત્યાર પછી સાગરદત્તે બુદ્ધિલના કુકડાના નખમાંથી બાંધેલી સે ખેંચી લીધી. ત્યાર પછી ફરી યુદ્ધ કરાવ્યું, તે બુદ્ધિલના કુકડાને હાર અપાવી. ત્યારે બંને જણ લાખ લાખની હારવાળા સરખા થઈ ગયા. સાગરદત્ત ઘણો તુષ્ટ થયો. તે બંનેને સુંદર રથમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયો. ઉચિત આદર-સત્કાર કર્યો. એમ કેટલાક દિવસો પસાર કર્યા. તેઓ તેમના સ્નેહને લીધે રહ્યા. એટલામાં એક દિવસે એક મનુષ્ય આવી વરધનુને એકાંતમાં લઈ જઈ આ પ્રમાણે કહ્યું કે, “સંયવાળી હકીકતમાં શરતમાં બુદ્ધિલે જે કબૂલ કર્યું હતું, તે અર્ધોલાખ દીનાર આપવાના હતા, તે માટે ચાલીશ હજારના મૂલ્યવાળો હાર મલાવ્યો છે.” હારને કરંડક આપીને તે ચાલ્યો ગયો. તે પછી મંત્રીકુમારે તે હાર કાઢીને જોયે. આમળાં સરખાં મેટાં અને અનુપમ નિર્મલ મોતીઓનો હાર શરદઋતુના ચંદ્રનાં કિરણોની માફક સમગ્ર દિશાઓને પ્રકાશિત કરતો હતા. તે હાર મંત્રીકુમારે રાજકુમારને બતાવ્યું, ત્યારે બારીકાઈથી જોતાં જોતાં પિતાના નામથી અંકિત પત્ર તેના એક પ્રદેશમાં રહેલે જે. કુમારે વરધનુને પૂછ્યું કે, “આ કોનો લેખ છે?” વરધનુએ કહ્યું કે, “આ વિષયને પરમાર્થ કોણ જાણી શકે? કારણ કે, “તારા સરખા નામવાળા પુરુષે પૃથ્વીમંડલમાં અનેક રહેલા છે.” આ પ્રમાણે પ્રશ્ન ઉડાવી નાખવાથી બ્રહ્મદત્તકુમાર મૌન રહ્યો. વરધનુએ પણ લેખ ઉકેલ્યો-વાં. ત્યાં એવી ગાથા જોવામાં આવી. અતિતીવ્ર કામને ઉત્તેજિત કરનારી આ રીતની ગાથા વાંચી. તે ગાથા આ પ્રમાણે-“જે કે આ જગતમાં બીજા અનેક માણસો ભેટવાને પ્રયત્ન કરે છે, તે પણ રત્નાવતી નકકી તમને જ માણવા ચાહે છે.” વરધનુ ચિંતાસાગરમાં ડૂબી ગયો કે, આ લેખનો પરમાર્થ શી રીતે જાણી શકાશે. એવામાં બીજા દિવસે એક પ્રત્રાજિકા આવી. કુમારના મસ્તકે પુપો અને અક્ષત નાખ્યા અને બોલી કે, “હે પુત્ર! હજાર વર્ષ જીવતે રહે.” ત્યાર પછી વરધનુને એકાંતમાં લઈ જઈ તેની સાથે કંઈક ગુપ્ત મંત્રણા કરીને જલદી ચાલી ગઈ. ત્યાર પછી કુમારે વરધનુને પૂછયું કે, “તે શું કહી ગઈ?” કંઈક હાસ્ય કરતો વરધનું કહેવા લાગ્યું કે, “આ પ્રવાજિકા પેલા લેખો પ્રતિલેખ-ઉત્તર માગે છે.” મેં કહ્યું કે, “એ લેખમાં બ્રહ્મદત્તનું નામ છે. માટે કહે કે, “એ બ્રહ્મદર કોણ?” તેણે કહ્યું કે, “હે સૌમ્ય ! સાંભળ. તારે આ વાત પ્રગટ ન કરવી. આ જ નગરીમાં એક શેઠની રત્નાવતી નામની પુત્રી છે. તે બાલ્યકાળથી જ મારી સાથે સ્નેહ રાખે છે અને હાલ તે ત્રણે જગતને જિતવા તત્પર થયેલ કામરાજા રૂપ ભીલના મોટા ભાલા સમાન યૌવનવય પામી છે. કોઈક દિવસે હથેળીમાં લમણું રાખી ચિંતા-સાગરમાં ડૂબેલી અને વિચારતી તેને મેં દેખી. તેની પાસે જઈ મેં પૂછયું કે, “હે પુત્રી ! ચિતારૂપી સમુદ્રમાં તું ઝોલા ખાય છે–એવું મને જણાય છે.” ત્યારે તેના પરિવારે કહ્યું કે, “ઘણા દિવસેથી આમ ઉદાસીન દેખાય છે. વારંવાર પૂછવા છતાં પણ કંઈ કહેતી નથી.” ત્યારે તેની પ્રિયંગુલતિકા નામની સખીએ કહ્યું કે, “હે ભગવતી ! એ શરમના કારણે અત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy