SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૦ ] ઉપદેશપદ-અનુવાદ અને પર્વત-શિખર ઉપરથી નીચે ઉતર્યો. હવે તે સમયે કુમાર તેના વિષે ઉન્માદિત થવાના કારણે ઘરમાં ક્યાંય પણ રતિ ન મળવાથી નંદન નામના ઉદ્યાનમાં ગયે. (૨૨૫) જયકુંજર હાથીની ખાંધ પર બેઠેલ કુમાર ઉદ્યાનની ચારે તરફ નજર કરતો હતું, ત્યારે ફલ-ફૂલથી વિકસિત થયેલા ઉદ્યાનમાં હાથીનું મન મસ્ત બન્યું. ત્યાં ઘણું પત્રોની શ્રેણીવાળા એક ચંદનવૃક્ષના ગહનમાં હાથીએ તેની ગંધમાં લુબ્ધ બની પ્રવેશ કર્યો. અતિસંકડામણના કારણે ત્યાં પરિવાર સાથે પ્રવેશ ન કર્યો, પરંતુ તે ક્ષણે કુમારે ચારે બાજુ નજર કરી લીધી. આ સમયે તે ચિત્રમાય નામના રાજસેવકે આકાશમાં ઊંચે પહોંચે તેવું, તાડવૃક્ષ સમાન લાંબી ભુજાઓના યુગલવાળું શરીર વિકુવ્વને મહાઅંધકાર ઉત્પન્ન કરીને હાથીની ખાંધ ઉપરથી તે કુમારને અદ્ધર ઉચકી લીધે અને ક્ષણવારમાં મણિકુંડલ નગરના ઉદ્યાનમાં લાવ્યા. કુમારે જાણ્યું કે, કેઈકે કોઈ પણ કારણથી મારું અપહરણ કર્યું છે, તે હવે અહિં મારે શું કરવું? અથવા તે અહિં રહેલે હું આમ કરેલાનું પરિણામ દેખું-એમ જ્યાં વિચારતા રહેલે હતો, એટલામાં કુમારનું આગમન જાણીને રાજા એકદમ સામે જવા માટે સપરિવાર મહા. વિભૂતિ–પૂર્વક વાજિંત્રોના શબ્દોથી આકાશસ્થળને પૂરતો નગરમાંથી નીકળ્યો. તેની પાસે પહોંચે. દેવકુમાર સમાન તેને દેખીને પિતાનાં નેત્રો અને વિધાતાના નિર્માણને સફળ માનવા લાગ્યા. કુમારે પણ ઉભા થઈ નેહ-પૂર્વક તેમને પ્રણામ કર્યા. રાજાએ પણ તેને ખૂબ પ્રેમથી બોલાવ્યો. ઘણું ગૌરવ–પૂર્વક પિતાની જેમ તેને પિતાના મહેલે લઈ ગયો અને શયન, આસન, ભેજન આદિ વડે તેની પરોણાગત કરી. અતિગુપ્ત રાખવા છતાં પણ તેણે પિતાના અપહાર થવાનું કારણ લોકો દ્વારા સાંભળ્યું. રાજપુત્રીનાં દર્શન માટે ઘણા ઉત્સુક મનવાળો બન્યો. કેઈક સમયે પિતાના આંગણામાં તે ફરતી હતી, ત્યારે દેખી અને આગળ પ્રતિ બિંબ દેખેલ તેના અનુસારે જાણ્યું કે, “આ તે જ કન્યા છે. જેને તેણે જાતિહીન તે વખતે કહેલ હતી, તે મારે તેના ઉપર કે અનુરાગ છે? તેની પરીક્ષા કરવા માટે કહ્યું હશે–એમ હું માનું છું, જ્યારે ભાગ્ય અનુકૂળ થાય છે, ત્યારે અહિં ક્યા સુખની પ્રાપ્તિ નથી થતી? જે મારા મને રથમાં પણ ન હતી, તેને અનુકૂળ ભાગ્ય-ચોગે દેખી. તે હવે તેની સાથે પાણિગ્રહણ કરવાનો દિવસ ક્યારે આવશે કે, જેમાં હું અમૃતકુંડમાં ડૂબેલા માફક મનોરથ પૂર્ણ થવાથી કૃતાર્થ બનું–આ વગેરે ચિંતાની પરંપરામાં જેને સંતેષ ઉલ્લસિત થાય છે એ, તે ત્યાં રહેલો હતો, એટલામાં રાજા પોતે આવીને કહેવા લાગ્યા કે-“હે કુમાર! આ મારી ચંદ્રકાન્તા પુત્રી તારા ગુણો સાંભળીને તારા વિષે રાગવાળી બની, કોઈ પ્રકારે દિવસ પસાર કરતી હતી. તે તેના ઉપર કૃપા કરો અને તેની સાથે તમારો વિવાહ સંબંધ જોડાવ. આજ રાત્રે તે માટે પરિપૂર્ણ ચંદ્ર-મંડલનો સુંદર ગ છે.” આ પ્રકારે તે કુમાર પાસે વિવાહને સ્વીકાર કરાવીને પ્રશસ્ત દિવસે વિદ્યાધર સુંદરીઓનાં ધવલમંગલ ગીતે જેમાં ગવાતાં હતાં.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy